fbpx

આ વર્ષે હાડ થીજવતી ઠંડીની આગાહી, લા નીનાનો પ્રભાવ

Spread the love
આ વર્ષે હાડ થીજવતી ઠંડીની આગાહી, લા નીનાનો પ્રભાવ

આવનારા શિયાળામાં દેશના મોટાભાગના વિસ્તારોમાં ખાસ કરીને દિલ્હી-એનસીઆર અને હિમાલય પ્રદેશોમાં કડક ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે આ પરિસ્થિતિનું મુખ્ય કારણ પેસિફિક મહાસાગરમાં વિકસતી લા નીનાની સ્થિતિ છે, જે ઓક્ટોબરથી ડિસેમ્બર 2025 સુધી સક્રિય રહેશે.

winter1

ભારતીય હવામાન વિભાગ (IMD) ના ડિરેક્ટર જનરલ એમ. મહાપાત્રાએ જણાવ્યું કે લા નીના આગામી મહિનાઓમાં સંપૂર્ણ રીતે વિકસશે. જોકે, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ એમ. રાજીવના મતે, ગ્લોબલ વોર્મિંગ આ અસરને થોડા અંશે ઓછું કરી શકે છે. તેમ છતાં, આ શિયાળામાં તાપમાન સામાન્ય કરતાં ઓછું રહેવાની શક્યતા છે. નિષ્ણાતોએ નાગરિકોને સ્વેટર અને રજાઇ તૈયાર રાખવા આગ્રહ કર્યો છે, કારણ કે 4 ઓક્ટોબરથી હવામાનમાં મોટો પલટો આવી શકે છે.

લા નીના શું છે?

લા નીના એક કુદરતી આબોહવાની ઘટના છે, જેમાં ઉષ્ણકટિબંધીય પ્રશાંત મહાસાગરના મધ્ય અને પૂર્વીય ભાગોમાં સમુદ્ર સપાટીનું તાપમાન ઘટે છે. આ ઘટના એલ નીનો (સમુદ્રના તાપમાનમાં વધારાથી થતી પરિસ્થિતિ) ના વિપરીત અસર કરે છે.

winter

યુએસ નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA) અનુસાર, ઓક્ટોબરથી ડિસેમ્બર 2025 દરમિયાન લા નીના બનવાની 71% સંભાવના છે. જ્યારે ડિસેમ્બર 2025 થી ફેબ્રુઆરી 2026 દરમિયાન તેની સંભાવના 54% સુધી રહેશે.

ઉત્તર ભારત પર અસર

લા નીના અગાઉ પણ ઉત્તર ભારતમાં શીત લહેરોને તીવ્ર બનાવી ચૂક્યું છે. નિષ્ણાતોના મતે:

દિલ્હી-એનસીઆર જેવા વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સરેરાશથી 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ ઓછું થઈ શકે છે. આ શિયાળો દાયકાઓમાં સૌથી ઠંડો રહી શકે છે. ગુરુગ્રામ, નોઈડા અને ફરીદાબાદ સહિતના વિસ્તારોમાં હાડ થીજાવતી ઠંડી અનુભવાશે.

ગ્લોબલ વોર્મિંગની વિપરીત અસર

ભૂતપૂર્વ સચિવ એમ. રાજીવએ જણાવ્યું કે ગ્લોબલ વોર્મિંગ હાલ લા નીના અને એલ નીનોની કુદરતી અસરોને બદલતું જાય છે. લા નીના સામાન્ય રીતે પૃથ્વીને ઠંડુ કરે છે, પરંતુ તે સાથે પશ્ચિમી વિક્ષેપોની આવૃત્તિ વધારી શકે છે.

હાલ ઉત્તર-પશ્ચિમ ભારતમાં રાત્રિનું તાપમાન સામાન્ય કરતાં 3 થી 5 ડિગ્રી વધારે નોંધાઈ રહ્યું છે, પરંતુ 4 ઓક્ટોબરથી પર્વતીય વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષાની શરૂઆત થઈ શકે છે.

ખેતી પર અસર

આવતા શિયાળાની તીવ્ર ઠંડી રવિ પાક માટે પડકારરૂપ બની શકે છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે લા નીનાને કારણે ચોમાસું મજબૂત થવાથી ખેતીને અમુક હદે ફાયદો પણ મળી શકે છે.

error: Content is protected !!