fbpx

ગુજરાતના બધા IAS અધિકારીના નવા બોસ વિશે જાણો

Spread the love

ગુજરાતના બધા IAS અધિકારીના નવા બોસ વિશે જાણો

ગુજરાતના મુખ્ય સચિવ પંકજ જોશી 31 ઓક્ટોબરે નિવૃત થઇ રહ્યા છે એટલે ગુજરાત સરકારે મનોજ કે. દાસને ગુજરાતના પ્રિન્સીપલ સેક્રેટરી તરીકે જાહેર કર્યા છે. દાસ 31 ઓક્ટોબરથી પોતોના ચાર્જ સંભાળી લેશે. મનોજ દાસ અત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં એડિશનલ સચિવ તરીકે સેવા આપી રહ્યા છે.

એમ. કે, દાસ 1990 બેચના IAS છે અને તેઓ કેન્દ્ર અને રાજ્યની જવાબદારી સંભળી ચૂક્યા છે.ઉપરાંત ગ્રામ્ય લેવલે પણ તેમની કામગીરી નોંધપાત્ર રહી છે. સુરત અને વડોદર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશ્નર તરીકેની જવાબદારી સંભાવી ચૂક્યાછે અને 2019 વાઇબ્રન્ટ ગુજરાતમાં તેમની કામગીરી નોંધનીય રહી હતી. બિહારમાં દરભંગામાં તેમનો જન્મ થયો હતો અને તેમનો કાર્યકાળ ડિસેમ્બર 2026 સુધી રહેશે.

error: Content is protected !!