fbpx

ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; ‘ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી…’

Spread the love

ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

ઉત્તર ગોવાના અરપોરામાં એક નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મોટાભાગના પીડિતો ગૂંગળામણથી મૃત્યુ પામ્યા હતા. આગ શરૂઆતમાં ક્લબના પહેલા માળે લાગી હતી અને ઝડપથી આખી ઈમારતને ઘેરી લીધી હતી.

પ્રત્યક્ષદર્શીઓએ મીડિયા સૂત્રને જણાવ્યું હતું કે, આગ લાગતા પહેલા ક્લબ મેનેજમેન્ટે કેટલાક ફટાકડા ફોડ્યા હતા. એક પ્રત્યક્ષદર્શીએ, એક જોનારાએ ઓળખ ન આપવાની શરતે કહ્યું હતું કે, રાત્રે 11:30 વાગ્યાની આસપાસ, સ્ટેજ પર બેલી ડાન્સ પરફોર્મન્સ ચાલી રહ્યું હતું ત્યારે ક્લબ મેનેજમેન્ટે કેટલાક ફટાકડા ફોડ્યા. આ ફટાકડા વાંસ, ફાઇબર અને સજાવટ માટે વપરાતા ઘાસ જેવા પદાર્થોના સંપર્કમાં આવ્યા. આના કારણે છત પરથી તણખા અને ધુમાડો નીકળ્યો, અને થોડીવારમાં જ ભીષણ આગ ફાટી નીકળી.

બીજા પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે સંપૂર્ણ અંધારું છવાઈ ગયું હતું. ઘણો વધારે ધુમાડો થઇ ગયો હતો, અને લોકો ગમે તેમ રીતે બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યાં ધક્કામુક્કી થઈ રહી હતી. મેં કેટલાક ધડાકાના અવાજ પણ સાંભળ્યા. મને ડર હતો કે ક્યાંક નાઈટક્લબમાં ભાગદોડ ન થઇ જાય.

Goa-Nightclub

એવું કહેવામાં આવી રહ્યું છે કે, નાઈટક્લબના અંડરગ્રાઉન્ડમાં એક રસોડું હતું, જ્યાંથી બે સીડીઓ પહેલા માળે જતી હતી. પહેલા માળેથી બહાર નીકળવાનો રસ્તો પણ બે દિશામાં એક સાંકડા પુલ પર ખુલતો હતો, જેનાથી બહાર નીકળવાની જગ્યા મર્યાદિત થઈ ગઈ હતી.

આગમાં જીવ ગુમાવનારા 25 લોકોમાંથી 14 લોકો ક્લબના સ્ટાફના સભ્યો હતા. જો કે રસોડું અંડરગ્રાઉન્ડમાં આવેલું હોવાથી અને વેન્ટિલેશન ઘણું ઓછું હતું, એટલે જ્યારે આગ ફાટી નીકળતાં ઘણા લોકો ગૂંગળાઈ ગયા હતા અને તેમાં મૃત્યુ પામ્યા હતા.

આગ લાગ્યા પછી તરત જ, પોલીસને કહેવામાં આવ્યું કે, આ અકસ્માત સિલિન્ડર બ્લાસ્ટને કારણે થયો હતો. જોકે, એક અધિકારીએ નામ ન આપવાની શરતે મીડિયા સૂત્રને જણાવ્યું હતું કે, ઘાયલો પર થયેલી ઇજાના ઘા સિલિન્ડર બ્લાસ્ટના નથી. હાલમાં, મૃતકોમાંથી સાતની ઓળખ થઈ શકી નથી, જ્યારે છ અન્ય લોકો હોસ્પિટલમાં દાખલ છે.

Goa-Nightclub2

આ ઘટના પછી CM પ્રમોદ સાવંતે પણ સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, નાઈટક્લબ ફાયર સેફ્ટી નિયમોનું યોગ્ય રીતે પાલન કરી રહ્યું ન હતું. આના કારણે મેનેજમેન્ટ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બેદરકારી દાખવનારા અને ક્લબ સામે સમયસર પગલાં લેવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

DGP આલોક કુમારે પણ ફાયર સેફ્ટી અંગે એક નિવેદન બહાર પાડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નથી. તેમણે કહ્યું કે ક્લબમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કેવી રીતે કરવામાં આવી રહ્યું હતું અને ક્લબ પાસે જરૂરી NOC હતું કે કેમ તે નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે.

તપાસનું બીજું પાસું એ પણ છે કે, શું આગ સ્પાર્ક ગનથી લાગી હતી, જેનો ઉપયોગ સામાન્ય રીતે પાર્ટીઓ દરમિયાન થતો હોય છે. ક્લબના સુરક્ષા ગાર્ડ ગોવિંદ જયસ્વાલે મીડિયા સૂત્રને જણાવ્યું હતું કે, તેમણે ‘ત્રણ કે ચાર અવાજો’, લોકોની ચીસો પાડતા અને દરેક વ્યક્તિ ગેટ તરફ દોડતા જોયા હતા.

error: Content is protected !!