fbpx

મતદાન વગર BJP-શિવસેનાની અનેક સીટ પર જીત, અન્ય ઉમેદવારોના ગંભીર આરોપો વચ્ચે ચૂંટણી પંચે તપાસ કરવાનું કહ્યું

Spread the love

મતદાન વગર BJP-શિવસેનાની અનેક સીટ પર જીત, અન્ય ઉમેદવારોના ગંભીર આરોપો વચ્ચે ચૂંટણી પંચે તપાસ કરવાનું કહ્યું

મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચ (SEC)એ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં શાસક ગઠબંધનના ઉમેદવારોની બિનહરીફ ચૂંટણીની તપાસ શરૂ કરી છે. કમિશને વિવિધ અધિકારીઓ પાસેથી રિપોર્ટ માંગ્યા છે કે શું વિપક્ષી ઉમેદવારો પર ચૂંટણી મેદાનમાંથી હટી જવાનું દબાણ કરવામાં આવ્યું હતું કે પછી તેમને ઉમેદવારી પાછી ખેંચવા માટે લાલચ આપવામાં આવી હતી. SECએ તે પણ સ્પષ્ટ કર્યું કે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી શાસક ગઠબંધનના ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવશે નહીં.

BMC-Mahayuti-Win2

અહીં તમને જણાવી દઈએ કે, પિંપરી-ચિંચવડ, જલગાંવ અને છત્રપતિ સંભાજી નગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઓછામાં ઓછા એક-એક BJP ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે, જ્યારે કલ્યાણ-ડોંબિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 5 BJP અને 4 શિવસેના ઉમેદવારો બિનહરીફ જીતે તેવી અપેક્ષા છે. ચૂંટણી પહેલા, આરોપો સામે આવ્યા હતા કે શાસક પક્ષે વિપક્ષી ઉમેદવારોને ઉમેદવારી નોંધાવતા અટકાવવા માટે ધાકધમકી આપવાની યુક્તિઓનો ઉપયોગ કર્યો હતો.

આ દરમિયાન, આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રેખા રેડકરે આરોપ લગાવ્યો કે, તેમને ઉમેદવારી નોંધાવતા અટકાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ચૂંટણી પ્રણાલી પક્ષપાતી છે. BJPના ઉમેદવારોને સમયમર્યાદા પછી પણ દસ્તાવેજો સબમિટ કરવાની મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે તેમને સમયમર્યાદા પહેલાં પહોંચ્યા છતાં તેમને નોમિનેશન ટોકન આપવામાં આવ્યું ન હતું. રેડકરના આરોપો પછી, ચૂંટણી પંચને અન્ય ઘણા વોર્ડ અને નગરપાલિકાઓ તરફથી આવી જ ફરિયાદો મળી છે.

BMC-Mahayuti-Win1

SEC અધિકારીએ જણાવ્યું હતું કે, કમિશનને એ 9 વોર્ડમાંથી રિપોર્ટ પ્રાપ્ત થશે જ્યાં ચૂંટણી બિનહરીફ થઈ હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, રિપોર્ટ 3 જાન્યુઆરી સુધીમાં પ્રાપ્ત થશે. ત્યારપછી, સંબંધિત મ્યુનિસિપલ કોર્પોરેશનોના રિટર્નિંગ ઓફિસરો (RO), BMC કમિશનર અને પોલીસ કમિશનર દ્વારા તપાસ કરવામાં આવશે કે શું વિપક્ષી ઉમેદવારો પર ચૂંટણીમાંથી ખસી જવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, ભૂતપૂર્વ સાંસદ હરિભાઉ રાઠોડે BJPના ધારાસભ્ય અને વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર પર ચૂંટણી અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરવાનો આરોપ લગાવ્યો, જેથી અન્ય ઉમેદવારોને ઉમેદવારીપત્રો ભરતા અટકાવી શકાય. રાઠોડે કહ્યું કે નાર્વેકર તેમના સંબંધીઓ માટે ઉમેદવારીપત્રો ભરવા માટે RO સાથે બેઠા હતા અને BJPના ઉમેદવારોની બિનહરીફ ચૂંટણી સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

BMC-Mahayuti-Win3

વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે આ આરોપોને ફગાવી દેતા કહ્યું કે, વિપક્ષના આરોપો ફક્ત પક્ષની હારના ડરથી લગાવવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તમામ ઉમેદવારોને 30 ડિસેમ્બર સુધીમાં ઉમેદવારીપત્રો દાખલ કરવાની તક આપવામાં આવી હતી. આરોપ લગાવનારાઓ સમયમર્યાદા પછી આવ્યા હતા. વધુમાં, SECએ થાણેના ટ્રાફિક વિભાગના ડેપ્યુટી પોલીસ કમિશનર પંકજ શિરસાત દ્વારા ચૂંટણી આચારસંહિતાના ઉલ્લંઘનની તપાસ શરૂ કરી છે. શિરસાતે એક અખબારના કાર્યક્રમમાં સમૃદ્ધિ એક્સપ્રેસવે અને થાણેમાં ટ્રાફિક ભીડ ઘટાડવા માટે વહીવટીતંત્રની યોજનાઓનો ખુલાસો કર્યો હતો, જે આચારસંહિતાનું ઉલ્લંઘન હોય તેવું લાગે છે. SECએ આ મામલે DGP રશ્મિ શુક્લા પાસેથી રિપોર્ટ માંગ્યો છે.

error: Content is protected !!