fbpx

કોંગ્રેસના નેતાનું ધારાસભ્ય પદ છીનવાયું, હાઈકોર્ટના આદેશથી બીજા નંબરે રહેલા ભાજપના નેતા MLA બનશે

Spread the love

કોંગ્રેસના નેતાનું ધારાસભ્ય પદ છીનવાયું, હાઈકોર્ટના આદેશથી બીજા નંબરે રહેલા ભાજપના નેતા MLA બનશે

મધ્ય પ્રદેશ હાઈકોર્ટે શ્યોપુરની વિજયપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય મુકેશ મલ્હોત્રાની ચૂંટણી રદબાતલ જાહેર કરી દીધી છે. ભાજપના નેતા અને પૂર્વ મંત્રી રામ નિવાસ રાવત દ્વારા દાખલ કરાયેલી ચૂંટણી અરજીની સુનાવણી બાદ કોર્ટે આ મહત્ત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. પૂર્વ મંત્રી રામ નિવાસ રાવતે પોતાની અરજીમાં મુકેશ મલ્હોત્રા પર તેમના ચૂંટણી સોગંદનામામાં ગુનાહિત રેકોર્ડ છુપાવવાનો આરોપ લગાવ્યો હતો.

નોંધનીય છે કે, પૂર્વ રાજ્યમંત્રી અને આદિવાસી નેતા મુકેશ મલ્હોત્રા કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. તેઓ મુરેના જિલ્લામાં પ્રિયંકા ગાંધીની ચૂંટણી રેલીમાં પાર્ટીમાં જોડાયા હતા. 2023ની વિધાનસભા ચૂંટણીમાં મુકેશ મલ્હોત્રાએ વિજયપુર બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને 45,000 મત મેળવ્યા હતા. મુકેશ લાંબા સમયથી વિજયપુર મતવિસ્તારમાં સક્રિય છે. તેઓ અગાઉ ભાજપમાં હતા. તે સમયે સરકારે તેમને સહરિયા ઓથોરિટીના અધ્યક્ષ બનાવ્યા હતા.

mukesh malhotra

વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ન મળ્યા બાદ તેમણે 2023ની ચૂંટણી અગાઉ ભાજપ છોડી દીધી હતી. ચૂંટણી પરિણામો બાદ, રામ નિવાસ રાવતે હાઈકોર્ટની ગ્વાલિયર બેન્ચમાં અરજી દાખલ કરી હતી, જેમાં કોંગ્રેસના ધારાસભ્ય મુકેશ મલ્હોત્રા પર ખોટા સોગંદનામા દાખલ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. મુકેશ મલ્હોત્રા પર પેટાચૂંટણીના સોગંદનામામાં ફોજદારી કેસોની માહિતી છુપાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે મુકેશ મલ્હોત્રાએ પેટાચૂંટણી માટેના નામાંકનમાં તેમના 6 ફોજદારી કેસમાંથી માત્ર 2 જ કેસ જાહેર કર્યા હતા. તથ્યો છુપાવવાની વાત સાચી માનતા કોર્ટે પોતાનો નિર્ણય આપ્યો છે. હાઈકોર્ટની ગ્વાલિયર બેન્ચના ન્યાયાધીશ જી.એસ. આહલુવાલિયાએ મુકેશ મલ્હોત્રાની ચૂંટણી રદબાતલ જાહેર કરી. આનાથી બીજા ક્રમે રહેલા ભાજપના ઉમેદવાર રામ નિવાસ રાવતને ધારાસભ્ય પદનો તાજ પહેરાવવાનો માર્ગ મોકળો થઈ ગયો છે.

high court

રામ નિવાસ રાવત હવે વિજયપુર વિધાનસભા બેઠક પરથી નવા ધારાસભ્ય બનશે. ન્યાયાધીશ જી.એસ. આહલુવાલિયાની કોર્ટે કહ્યું કે માહિતી છુપાવવી એ ચૂંટણી નિયમોનું ઉલ્લંઘન છે. આ નિર્ણય પર કોંગ્રેસે કહ્યું કે, તે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. ફક્ત ખોટી માહિતી આપવાનો અર્થ એ નથી કે ચૂંટણીમાં ધાંધલી થઈ છે. અમને વિશ્વાસ છે કે મુકેશ મલ્હોત્રાને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળશે.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2025-12-26-at-11.31.10-AM-1024x178.jpeg
error: Content is protected !!