fbpx

18 વર્ષ પહેલા એવું શું થયું હતું કે સરકારે અત્યારે IAS અધિકારી પદ્મા જયસ્વાલને નોકરીમાંથી કાઢી મૂક્યા

Spread the love

18 વર્ષ પહેલા એવું શું થયું હતું કે સરકારે અત્યારે IAS અધિકારી પદ્મા જયસ્વાલને નોકરીમાંથી કાઢી મૂક્યા

ભારતીય વહીવટી સેવાના 2003 બેચના વરિષ્ઠ IAS અધિકારી પદ્મા જયસ્વાલને સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા છે. જયસ્વાલ પર અરુણાચલ પ્રદેશમાં પોસ્ટિંગ દરમિયાન સરકારી ભંડોળમાંથી ઉચાપત અને તેમના પદના દુરુપયોગ કરવાનો ગંભીર આરોપોનો સામનો કરવો પડ્યો હતો. લગભગ 18 વર્ષ જૂના આ કેસમાં લાંબી તપાસ અને કાનૂની વળાંકો પછી, સરકારે આખરે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

નીતિ વિશ્લેષણ સેવા

IAS-Padma-Jaiswal2

આસામ-ગોવા-મિઝોરમ-કેન્દ્રશાસિત પ્રદેશ (AGMUT) કેડરના અધિકારી પદ્મા જયસ્વાલ 2007-08માં અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગ જિલ્લામાં ડેપ્યુટી કમિશનર તરીકે સેવા આપી હતી. આ સમય દરમિયાન, તેમના પર સરકારી ભંડોળના દુરુપયોગ અને તેમની સત્તાના દુરુપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ ઘટના પછી, તેમને 2008માં સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યાર પછી તેમને ફરીથી નોકરી પર લેવામાં આવ્યા હતા. જોકે, ભ્રષ્ટાચારની તપાસ સતત ચાલુ રહી હતી.

ઓલ ઈન્ડિયા સર્વિસીસ રૂલ્સ હેઠળ ચાલતી આ શિસ્તભંગની કાર્યવાહીને ત્યારે વેગ મળ્યો, જ્યારે એપ્રિલ 2026માં દિલ્હી હાઈકોર્ટે એક અધિકારક્ષેત્રની અરજી ફગાવી દીધી હતી. હાઈકોર્ટની મંજૂરી પછી, યુનિયન પબ્લિક સર્વિસ કમિશને ગૃહ મંત્રાલય (MHA), સેન્ટ્રલ વિજિલન્સ કમિશન અને કર્મચારી અને તાલીમ વિભાગની ભલામણોના આધારે આ બહુ મોટી બરતરફીને મંજૂરી આપી હતી.

IAS-Padma-Jaiswal

મીડિયા સૂત્રો અનુસાર, જ્યારે તેમણે પદ્મા જયસ્વાલનો સંપર્ક કર્યો ત્યારે તેમણે આવા કોઈપણ આદેશની જાણકારી હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. જયસ્વાલે જણાવ્યું હતું કે, તેમને હજુ સુધી આવી કોઈ બરતરફી અથવા કાર્યવાહી અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી. આ બાજુ, નિષ્ણાતો માને છે કે, ‘ભારતીય વહીવટી સેવા (IAS)માંથી આવા વરિષ્ઠ સ્તરના અધિકારીને દૂર કરવું એ ખૂબ જ દુર્લભ અને અસાધારણ પગલું છે. તે દેશની સર્વોચ્ચ વહીવટી પ્રણાલીમાં અધિકારીઓને એક કડક સંદેશ મોકલે છે.’

પદ્મા જયસ્વાલની એક પ્રતિષ્ઠિત વહીવટી અને શૈક્ષણિક કારકિર્દી રહી છે. તેમની લિંક્ડઈન પ્રોફાઇલ મુજબ, તેઓ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ અને બિઝનેસ સ્કૂલ ઓફ પંજાબ યુનિવર્સિટી (UBS)માંથી MBAની ડિગ્રી લીધી હતી. તે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા (ICSI) તરફથી સર્ટિફાઇડ કંપની સેક્રેટરી (CS) પણ છે. તેમણે UGC રિસર્ચ ફેલો તરીકે સેવા આપી છે.

IAS-Padma-Jaiswal3

તેમણે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, આંતરરાષ્ટ્રીય બાબતો અને કાનૂની કર્મચારી વ્યવસ્થાપન જેવા વિષયો પર વ્યાપક સંશોધન કર્યું છે. 20 વર્ષથી વધુની તેમની કારકિર્દીમાં, તેમણે દિલ્હી, ગોવા, પુડુચેરી અને અરુણાચલ પ્રદેશમાં અનેક મહત્વપૂર્ણ અને ઉચ્ચ-પ્રોફાઇલ હોદ્દાઓ સંભાળ્યા. જો કે, આ નિર્ણયથી તેમની વહીવટી કારકિર્દીનો હાલ પૂરતો અંત આવી ગયો છે.

Leave a Reply

error: Content is protected !!