પ્રાંતિજ નગરપાલિકામાં રાજકીય ખળભળાટ
– ભાજપના કાઉન્સિલરોનું સામૂહિક રાજીનામું
– રાત્રે ૧૨ વાગે હિંમતનગર જિલ્લા મહામંત્રી ના ધરે જઇ રાજીનામુ ધર્યુ
– ૧૫ કોર્પોરેટરો ની સહિઓ સાથે રજુઆત કરી
– ૧૫ કોર્પોરેટરોના સામૂહિક રાજીનામાથી ખળભળાટ
– ભાજપ જિલ્લા સંગઠન દોડતુ થયુ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકામાં રાજકીય ખળભળાટ મચાવતી ઘટનામાં ભાજપના ચૂંટાયેલા કાઉન્સિલરોએ નગરપાલિકાના પ્રમુખ અને તેમના પતિ સામે ગંભીર આક્ષેપો સાથે સામૂહિક રાજીનામું આપ્યાનું જાણવા મળ્યું છે


પ્રાંતિજ ખાતે ભાજપ શાસિત પાલિકા મા રાજકીય ખળભળાટ જોવા મલ્યો છે અને કાઉન્સિલરોએ જિલ્લા ભાજપ પ્રમુખને સંબોધીને રજૂઆતમાં આરોપ મૂક્યો છે કે નગરપાલિકાના પ્રમુખ તથા તેમના પતિ દ્વારા ચૂંટાયેલા સભ્યો અને વિવિધ સમિતિઓના ચેરમેન સાથે અયોગ્ય વર્તન કરવામાં આવી રહ્યું છે ઉપરાંત નગરપાલિકાના વહીવટમાં હસ્તક્ષેપ, અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે નગરપાલિકાના વિકાસલક્ષી કાર્યોમાં નિયમોનું પાલન થતું નથી અને કેટલીક ખરીદી પ્રક્રિયાઓમાં કારોબારી સમિતિની મંજૂરી વગર ચુકવણાં કરવામાં આવ્યા હોવાના આક્ષેપો છે. કાઉન્સિલરોએ એવો પણ દાવો કર્યો છે કે પ્રમુખશ્રી નિયમિત રીતે નગરપાલિકામાં હાજર રહેતા નથી અને તેમના પતિ દ્વારા વહીવટી કામગીરીમાં સીધો હસ્તક્ષેપ કરવામાં આવે છે ભાજપના કાઉન્સિલરોએ જણાવ્યું છે કે આ મુદ્દે અગાઉ પણ જરૂરી પુરાવા સાથે પક્ષના જિલ્લા નેતૃત્વ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ સ્થિતિમાં કોઈ સુધારો ન થતા તેમણે નગરહિત અને પક્ષહિતને ધ્યાનમાં રાખીને સામૂહિક રાજીનામું આપવાનો નિર્ણય લીધો છેઆ મામલે નગરપાલિકાના પ્રમુખ અથવા તેમના પતિનો સત્તાવાર પ્રતિસાદ પ્રાપ્ત થઈ શક્યો નથી. તેમની તરફથી કોઈ સ્પષ્ટતા કે જવાબ મળે તો તેને પણ પ્રકાશિત કરવામાં આવશે પ્રાંતિજ નગરપાલિકાના આ ઘટનાક્રમે સ્થાનિક રાજકારણમાં ચર્ચા અને તણાવનું વાતાવરણ સર્જાયું છે. હવે પક્ષનું જિલ્લા નેતૃત્વ આ મામલે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાઈ છે
| પ્રાંતિજ નગરપાલિકા ઉપ પ્રમુખ ગીરીશભાઇ દશરથભાઇ પટેલ , કારોબારી સમિતિ ચેરમેન રામી નિકુંજકુમાર ગોવિંદભાઈ તથા અન્ય સમિતીઓના ચેરમેન સહિત અન્ય ૧૩ કોર્પોરેટરોએ સામૂહિક રાજીનામું જિલ્લા મહામંત્રી બીપીન ભાઇ ઓઝા ને સોપ્યુ |
| અગાઉ પણ પ્રમુખ અનિતાબેન ના પતિ જિગ્નેશ ભાઇ પંડયા પ્રમુખ હતા ત્યારે તેમના વિરૂધ્ધ ૨૦૦૯|૧૦ મા અવિશ્વાસ ની દરખાસ્ત થઈ હતી |
| કોર્પોરેટરો દ્રારા મહિલા પ્રમુખ પતિ ની મનમાની તથા ચેરમેન શ્રીઓ સાથે અસભ્ય વર્તન દાખવી તથા કારોબારી મા સમિતીઓની મજુરીઓ મેળવ્યા સિવાય ખરીદી ના બીલો ચુકવણુ કરી નગરપાલિકા અધિકારીઓ સાથે મળી ગેરરીતિઓ તથા ભસ્ટ્રાચાર સહિત આક્ષેપો |
| જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ નુ શુ કહેવુ છે આ અંગે ટેલીફોનીક પુછતા તેવોએ જણાવ્યુ કે હજુસુધી મારી જોડે આવુકોઇ આવ્યુ નથી અને ખોટીવાત છે |
| કોર્પોરેટરો નુ શુ કહેવુ છે |
|---|
| આ અંગે કોર્પોરેટરો જણાવી રહ્યા છેકે અમે રવિવાર ની રાત્રે હિંમતનગર ખાતે ભાજપ જિલ્લા મહામંત્રી બીપીન ભાઇ ઓઝા ના ધરે જઇ ૧૫ કોર્પોરેટરો દ્રારા સામૂહિક રાજીનામુ આપ્યુ હતુ અને જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ ને વોટશોપ દ્રારા મોકલી આપ્યુ હતુ |
| પ્રાંતિજ નગરપાલિકા ૨૪ કોર્પોરેટરો માંથી ૩ અપક્ષ તથા ૨ કોંગ્રેસ અને ૧૯ ભાજપ ના ઉમેદવારો ચુટાઇ આવ્યા હતા જેમા ૧૫ કોર્પોરેટરોએ રવિવાર ની રાત્રીએ નગરપાલિકા પ્રમુખ વિરૂધ્ધ સામૂહિક રાજીનામુ આપ્યુ હતુ |
| રાજીનામુ આપનાર ૧૫ કોર્પોરેટરો ના નામ |
|---|
| (૧) પટેલ ગીરીશ કુમાર દશરથલાલ (ઉપ પ્રમુખ) (૨) રામી નિકુંજકુમાર ગોવિંદભાઈ (કારોબારી ચેરમેન) (૩) મકવાણા મહેશ કુમાર કચરાજી (૪) સોની મનીષાબેન અમરીશ કુમાર (૫) પરમાર ગોવિંદજી કેશાજી (૬) પટેલ નૃપાંશ કુમાર અરવિંદભાઈ (૭)સુમરા રસીદખાન દોલતખાન (૮) દક્ષાબેન જે.મકવાણા (૯) રાઠોડ તારાબેન કનુસિંહ (૧૦)મકવાણા સુરેખાબેન દિલીપભાઈ (૧૧) વાધેલા જ્યોત્સના બેન રસીદભાઇ (૧૨) રાવળ રેણુકાબેન જીતેન્દ્ર કુમાર (૧૩) સથવારા વર્ષાબેન મુકેશકુમાર (૧૪) ભોઇ વિપુલ કુમાર. કે. (૧૫) દર્શીલ .એન.દેસાઇ |