
તમિલનાડુના ભૂતપૂર્વ BJP પ્રમુખ K. અન્નામલાઈના રાજકીય ભવિષ્ય અંગે અટકળો તેજ થઈ ગઈ છે. અન્નામલાઈના કેટલાક સમર્થકો તેની તુલના તમિલનાડુના ઇતિહાસની સૌથી મોટી હરીફાઈ સાથે કરી રહ્યા છે, જેમ કે, ભૂતપૂર્વ CM M.G. રામચંદ્રન (MGR) અને M. કરુણાનિધિ વચ્ચેની હરીફાઈ. અન્નામલાઈની નજીકના સૂત્રો કહે છે કે, જો તેઓ BJP છોડીને પોતાની પાર્ટી બનાવે છે, તો તમિલનાડુ રાજ્યના બે સૌથી લોકપ્રિય વ્યક્તિઓ, TVKના CM વિજય અને K. અન્નામલાઈના નેતૃત્વ હેઠળના બે બિન-દ્રવિડ પક્ષો વચ્ચે હરીફાઈનો સામનો કરી શકે છે.
એક ન્યૂઝ ચેનલના અહેવાલ મુજબ, અન્નામલાઈના નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે, ‘CM વિજય વિરુદ્ધ અન્નામલાઈ MGR અને M કરુણાનિધિ વચ્ચેની એ જ પ્રકારની લડાઈમાં ફેરવાઈ શકે છે. જો કે, આ નેતાઓ સ્વર્ગસ્થ દિવંગતો સાથે સ્પર્ધા ન કરી શકે.’ આ સરખામણી તમિલનાડુના રાજકારણમાં થયેલી આ નાટકીય ઘટનાના બેકગ્રાઉન્ડમાં થઇ રહી છે. 1967માં DMKના સ્થાપક CN અન્નાદુરાઈએ કોંગ્રેસનું વર્ચસ્વ ખતમ કર્યા પછી, તમિલનાડુનું રાજકારણ મોટાભાગે MGR અને કરુણાનિધિ વચ્ચેની સ્પર્ધામાં બદલાઈ ગયું.
Politics

DMKથી અલગ થઈને AIADMKની રચના કર્યા પછી, MGR સતત 3 વિધાનસભા ચૂંટણીઓ જીત્યા અને 1987માં તેમના મૃત્યુ સુધી CM રહ્યા. MGRના મૃત્યુ પછી, કરુણાનિધિ સત્તામાં પાછા ફર્યા અને 5 વખત CM બન્યા હતા. લગભગ 6 દાયકા પછી, રાજ્યના રાજકીય ક્ષેત્રમાં ફરી એક ઉથલપાથલ જોવા મળી જ્યારે TVKના સ્થાપક અને અભિનેતામાંથી રાજકારણી બનેલા CM વિજયે DMK અને AIADMK બંનેને ચૂંટણીમાં હરાવી દીધા. દાયકાઓ સુધી તમિલનાડુના રાજકારણ પર પ્રભુત્વ ધરાવતા બે દ્રવિડિયન પક્ષો હવે મુશ્કેલ સ્થિતિમાં જોવા મળે છે.
AIADMKની મુશ્કેલીઓ ખાસ કરીને ગંભીર દેખાય છે. ભૂતપૂર્વ CM J. જયલલિતાના મૃત્યુ પછી, પાર્ટીને સતત 4 ચૂંટણી હારનો સામનો કરવો પડ્યો છે. તાજેતરમાં, તેમાં આંતરિક બળવો પણ જોવા મળ્યો હતો, CM વિજય સાથે સત્તા-વહેંચણી કરાર કરવાના પ્રયાસો નિષ્ફળ ગયા પછી પક્ષની અનિશ્ચિત સ્થિતિને અવગણીને જ્યારે 25 ધારાસભ્યોએ TVK સરકારની તરફેણમાં મતદાન કર્યું હોવાના અહેવાલ છે.

આ બેકગ્રાઉન્ડમાં, અન્નામલાઈના સમર્થકો માને છે કે, એક નવી શક્તિ માટે રાજકીય જગ્યા છે. સૂત્રો કહે છે કે, BJPનું હિન્દુત્વ રાજકારણ પહેલાથી જ તમિલનાડુમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે, પરંતુ અન્નામલાઈનું પ્રસ્તાવિત રાજકીય પ્લેટફોર્મ ‘તમિલ રાષ્ટ્રવાદ અને શાસન’ની આસપાસ બનાવી શકાય છે.
આ ચર્ચાઓથી પરિચિત એક નેતાએ કહ્યું, ‘અન્નામલાઈનું રાજકારણ તમિલ રાષ્ટ્રવાદનું રાજકારણ હશે, અને અમારું માનવું છે કે તે મતદારોને પસંદ આવશે.’ આ પ્રકારનો ફેરફાર રાજ્યમાં BJPના પરંપરાગત સંદેશાવ્યવહારથી ઘણી રીતે અલગ હશે અને અન્નામલાઈને તમિલનાડુમાં પક્ષના વિકાસમાં અવરોધરૂપ માનસિકતાઓથી દૂર થવામાં મદદ કરી શકે છે. સમર્થકો CM વિજય અને અન્નામલાઈની વિશિષ્ટ શક્તિઓ તરફ પણ નિર્દેશ કરે છે.
જ્યાં CM વિજય પાસે એક નિશ્ચિત સમૂહ છે જે ઘણા લોકો MGRના સિનેમેટિક પરાકાષ્ઠાના સામૂહિક આકર્ષણની તુલનામાં કરે છે, ત્યારે અન્નામલાઈ તેમના રાજકીય અભિયાનો, સોશિયલ મીડિયા હાજરી અને પાયાના સ્તરે પહોંચ દ્વારા યુવા મતદારોમાં ઘણા ખરા ફેન ફોલોઇંગ બનાવતા જોવા મળે છે.

સૂત્રો કહે છે કે, ભૂતપૂર્વ IPS અધિકારી અન્નામલાઈના પ્રસ્તાવિત જન આંદોલન (ટૂંક સમયમાં શરૂ થવાની ધારણા છે)નો હેતુ ભવિષ્યની પાર્ટી શરૂ કરતા પહેલા રાજકીય રીતે જાગરૂક સ્વયંસેવકો અને નેતાઓની એક નવી પેઢીને તૈયાર કરવાનો છે. કેટલાક સમર્થકો આની તુલના કરુણાનિધિ દ્વારા દ્રવિડ વિચારધારા અને સામાજિક ન્યાયના સિદ્ધાંતોને લોકપ્રિય બનાવવા માટે સિનેમા અને સાહિત્યના ઉપયોગ સાથે કરે છે, અને દલીલ કરે છે કે, અન્નામલાઈ પોતાની શરતો પર ઔપચારિક રીતે ચૂંટણી રાજકારણમાં પ્રવેશતા પહેલા રાજકીય ઇકોસિસ્ટમ બનાવવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે. રાજકીય વ્યૂહરચનાકાર એસ્પાયર સ્વામિનાથન માને છે કે, અન્નામલાઈ સંભવિત રીતે એક રાજકીય સ્થાન પર કબજો કરી શકે છે, જ્યાં હજુ સુધી કોઈએ દાવો કર્યો નથી.
એસ્પાયર સ્વામિનાથને કહ્યું, ‘જે હજુ પણ સંપૂર્ણપણે ખાલી છે તે પાંચમી જગ્યા છે. એક સ્વચ્છ, શાસન-પ્રથમ, તમિલ-ગર્વિત, બિન-વંશીય, બિન-સિનેમેટિક રાજકીય વિકલ્પ, આ તે જગ્યા છે જેને અન્નામલાઈ જો પાછળ હટવા માંગતા હોય તો તેને લક્ષ્ય બનાવી શકે છે.’

સ્વામીનાથનના મતે, આવી રાજનીતિ માટે સંભવિત ક્ષેત્ર પરંપરાગત BJP સમર્થકોથી આગળ વધે છે. તેમણે દલીલ કરી, ‘તે ફક્ત BJPના વફાદાર મતદારો નથી. તે ફક્ત DMK વિરોધી ભાવના નથી. સંભવિત પ્રેક્ષકો મોટા અને વધુ રસપ્રદ છે.’ પરંતુ DMK તેનાથી ખુશ નથી. DMKના પ્રવક્તા TKS એલંગોવનએ કહ્યું, ‘અમને ખબર નથી કે અન્નામલાઈના મનમાં શું છે. દ્રવિડ વિચારધારા સંપૂર્ણપણે અલગ છે. તે તમિલ સંસ્કૃતિ અને વિચારધારા વિશે છે. ચાલો જોઈએ કે અન્નામલાઈએ આ સમજ્યું છે કે નહીં.’
અન્નામલાઈએ હજુ સુધી BJP છોડવાની કોઈ યોજના જાહેર કરી નથી. તેમના નજીકના સૂત્રો કહે છે કે, PM નરેન્દ્ર મોદી તેમના રાજકીય પ્રેરણા છે અને હાલમાં રાજકીય પક્ષ શરૂ કરવાની તેમની કોઈ યોજના નથી. છતાં, અહેવાલો સૂચવે છે કે, એક જન આંદોલન ચાલી રહ્યું છે, અને રાજકીય અટકળો વધી રહી છે. તમિલનાડુનો રાજકીય વર્ગ નજીકથી નજર રાખી રહ્યો છે કે, શું દક્ષિણમાં BJPના સૌથી જાણીતા ચહેરાઓમાંથી કોઈ પાર્ટી છોડવાની તૈયારી કરી રહ્યો છે. જો એમ હોય, તો રાજ્યમાં એક નવી લડાઈ ઉપર આવી શકે છે, જે એ દ્રવિડ ચળવળ દ્વારા સંચાલિત નથી, જેણે પેઢીઓથી તમિલનાડુના રાજકારણ પર પ્રભુત્વ જમાવ્યું છે, પરંતુ બે નેતાઓ દ્વારા બની છે, જે એ નક્કી કરવા માંગે છે કે આના પછી શું થશે?