fbpx

હવે નેપાળે ભારતના ‘ફળોના રાજા’ને કહ્યું ‘નો એન્ટ્રી’! પ્રતિબંધથી ભારતીય નિકાસકારોમાં ચિંતા વધી

Spread the love

હવે નેપાળે ભારતના 'ફળોના રાજા'ને કહ્યું 'નો એન્ટ્રી'! પ્રતિબંધથી ભારતીય નિકાસકારોમાં ચિંતા વધી

જાપાન પછી, આપણા પાડોશી દેશ નેપાળને પણ ભારતીય કેરીઓ ખાસ પસંદ નથી આવી. એવા સમાચાર આવી રહ્યા છે કે, નેપાળે એક હુકમનામું બહાર પાડ્યું છે, કે ‘ફળોના રાજા’ કેરીને ઓછામાં ઓછું ભારતમાંથી તો તેમના દેશમાં આયાત કરવામાં આવશે જ નહીં. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો, તેણે ભારતીય કેરીની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે.

આવામાં સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે, આ નિર્ણય પાછળનું કારણ શું છે? આ પ્રતિબંધથી તમારા ખિસ્સા પર શું અસર થશે? અને ભારતીય કેરીના વેપારીઓ તેમના પર પડેલા આ બેવડા ફટકાનો સામનો કેવી રીતે કરશે?

34

મીડિયા સૂત્રોના એક અહેવાલ મુજબ, નેપાળ સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ભારતથી આવતા કેરીના માલમાં જંતુનાશકોનું પ્રમાણ નિર્ધારિત સલામતી ધોરણો કરતાં ઘણું વધારે હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત સરહદ પર પર્યાપ્ત પરીક્ષણ અને ક્વોરેન્ટાઇન સુવિધાઓ ન હોવાનો ઉલ્લેખ કરીને, નેપાળે આ કડક પગલું ભર્યું છે.

આ નિર્ણયથી ભારત-નેપાળ સરહદ પર ફળના વેપારીઓમાં ગભરાટ ફેલાયો છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશના વેપારીઓ, જેઓ દર વર્ષે નેપાળમાં મોટી માત્રામાં કેરીની નિકાસ કરતા હતા, તેમના ઓર્ડર અચાનક અટકી ગયા છે. નેપાળે હવે યુરોપિયન યુનિયન (EU)ની જેવા કડક ફાયટોસેનિટરી ધોરણો અને હોટ વોટર ટ્રીટમેન્ટ (HWT)ની શરત લાગુ કરી દીધી છે. આના કારણે વેપારીઓ માટે નિકાસ કરવી હવે પહેલા કરતા ઘણી મોંઘી અને જટિલ બની છે. જાપાન દ્વારા તાજેતરમાં ભારતીય કેરી પર પ્રતિબંધ મૂક્યા પછી, ભારતની કૃષિ નિકાસ માટે આ બીજો મોટો આંચકો માનવામાં આવે છે.

હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ નિર્ણયની મૂળ અસર શું થશે? નિષ્ણાતો માને છે કે, નેપાળના આ પગલાની બે અલગ અલગ અસર છે, પહેલી, નેપાળના બજાર પર અને બીજી, ભારતના સ્થાનિક બજાર પર.

36

નેપાળમાં હોબાળો થશે: જ્યારે નેપાળની સ્થાનિક કેરીઓ (જેમ કે સિરાહા અને સપ્તરી જિલ્લાઓનો માલ) બજારમાં આવી ગયો છે, ત્યારે ત્યાં કેરીની મોસમ ફક્ત બે મહિના, મેના મધ્યથી જુલાઈના મધ્ય સુધી ચાલે છે. નેપાળનું પોતાનું ઉત્પાદન દેશની સંપૂર્ણ માંગને પહોંચી વળવા માટે અપૂરતું છે. આવી સ્થિતિમાં, કેરીની તીવ્ર અછત સર્જાઈ શકે છે, અને કિંમતો આસમાને પહોંચી શકે છે. આ અગાઉ, જ્યારે ભારતીય કેળાની આયાત પર પ્રતિબંધ મૂક્યા પછી ત્યાં કેળાના ભાવ બમણા થઈ ગયા હતા, ત્યારે હવે કેરીમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી શકે છે.

ભારતના સ્થાનિક બજાર પર અસર: ભારતના દ્રષ્ટિકોણથી, નેપાળમાં નિકાસ બંધ થવાથી તે બધી પેદાશોનો ઉપયોગ ભારતના સ્થાનિક બજારોમાં થશે. શરૂઆતમાં, આનાથી ભારતીય બજારોમાં કેરીના પુરવઠામાં અચાનક વધારો થઈ શકે છે, જેના કારણે સ્થાનિક કેરીના ભાવમાં થોડો ઘટાડો અથવા સ્થિરતા પણ આવી શકે છે. આનો અર્થ એ છે કે સામાન્ય માણસ માટે કેરી થોડી સસ્તી થઈ શકે છે, પરંતુ નિકાસકારો અને ખેડૂતોને થતું નુકસાન આખા કેરી બજારનું આંકડાકીય ગણિત બગાડી શકે છે.

નિષ્ણાતો માને છે કે, સંપૂર્ણ પ્રતિબંધ લાદવાને બદલે, સરહદ પર પરીક્ષણ પ્રણાલીને મજબૂત બનાવવાથી આ સમસ્યાનો વધુ સારો ઉકેલ મળી શકે છે, જેનાથી ખેડૂતોના આ કેરીના માલને બગડતા અટકાવી શકાય છે.

Leave a Reply

error: Content is protected !!