fbpx

TMC નેતા સબ્યસાચીની મહિલા મિત્રના ઘરેથી મળ્યો ખજાનો; ‘સોનાની ખાણ’ જોઈને અધિકારીઓ સ્તબ્ધ થઇ ગયા

Spread the love

TMC નેતા સબ્યસાચીની મહિલા મિત્રના ઘરેથી મળ્યો ખજાનો; 'સોનાની ખાણ' જોઈને અધિકારીઓ સ્તબ્ધ થઇ ગયા

પશ્ચિમ બંગાળમાં સરકાર બદલાયા પછી, TMC નેતાઓની આસપાસ સકંજો કડક થઈ રહ્યો છે. TMCના ભૂતપૂર્વ મેયર સબ્યસાચી દત્તાની ધરપકડ પછી, તેમના નજીકના સહયોગી ટીના ભૌમિક સાહાના ઘરેથી એટલું સોનું મળી આવ્યું કે, પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ. અહેવાલો અનુસાર, સબ્યસાચીની પૂછપરછ દરમિયાન જ એવા સંકેતો મળ્યા હતા, જેના કારણે નાદિયા જિલ્લામાં ટીનાના ઘરે દરોડા પાડવામાં આવ્યા. ટીના અને તેના પિતાના ઘરેથી 3 કિલો સોનું મળી આવ્યું.

Sabyasachi-Dutta3

સબ્યસાચી દત્તાની ખંડણીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારપછી, પોલીસ તેમની પૂછપરછ કરી રહી હતી, અને પૂછપરછ દરમિયાન ટીના સાહાનું નામ પણ સામે આવ્યું. એવું જાણવા મળ્યું હતું કે, સબ્યસાચીએ નાદિયા જિલ્લા પરિષદના સભ્ય ટીના ભૌમિક સાહાનું નામ જણાવ્યું હતું. ત્યારપછી, નઝીરપુરમાં તેમના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા.

પોલીસે ટીના સાહા અને તેના પિતા કંચન ભૌમિકના ઘરે દરોડા પાડ્યા હતા. દરોડા વહેલી સવારે 2 વાગ્યે શરૂ થયા અને મળસ્કે 5 વાગ્યા સુધી ચાલુ રહ્યા. આ સમય દરમિયાન, બે ઘરમાંથી અંદાજે 3 કિલોગ્રામ સોનું મળી આવ્યું. મળેલા સોનાના જથ્થાથી પોલીસ ચોંકી ગઈ. અહેવાલો અનુસાર, મળેલા સોનાની કિંમત આશરે રૂ. 4.39 કરોડ છે. દરોડા દરમિયાન ટીના અને તેના પિતા બંને ઘરે નહોતા.

Tina-Saha

સબ્યસાચી દત્તા અને ટીના સાહા ખૂબ જ નજીક હોવાનું માનવામાં આવે છે. પોલીસનું કહેવું છે કે, શક્ય છે કે સબ્યસાચી પોતાની ગેરકાયદેસર રીતે મેળવેલી સંપત્તિમાંથી સોનું ખરીદતો હોય. સબ્યસાચીના ફ્લેટ અને બેંક લોકરમાંથી અંદાજે 3.5 કિલોગ્રામ સોનું પણ મળી આવ્યું હતું. ટીનાના પિતા નઝીરપુરમાં જ કપડાની દુકાન ચલાવે છે. આ જોતા આટલી મોટી માત્રામાં સોનુ મળી આવવું એક મોટા કૌભાંડનો સંકેત આપે છે. સબ્યસાચી અને ટીના પછી, અન્ય ઘણા રાજકારણીઓની પણ વધુ મુશ્કેલીઓ વધી શકે છે.

Sabyasachi-Dutta4

પોલીસ આ મામલાની વિગતવાર તપાસ કરી રહી છે અને નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે કે, આ સોનું ટીનાનું હતું કે સબ્યસાચીનું. જો તે ટીનાનું છે, તો તેણે આટલું સોનું કેવી રીતે એકઠું કર્યું? શું તેની પાસે કોઈ એવી મિલકત છે, જેને વેચીને સોનું ખરીદી શકાય? પોલીસ ટૂંક સમયમાં ટીનાને પૂછપરછ માટે નોટિસ મોકલી શકે છે. સબ્યસાચીના ઘણા નજીકના સહયોગીઓને નિશાન બનાવવામાં આવી શકે છે. આ કેસ ખુબ મોટો હોવાનું માનવામાં આવે છે અને બંગાળમાં મોટી રાજકીય ઉથલપાથલ સર્જી શકે એમ છે.

Leave a Reply

error: Content is protected !!