fbpx

‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા

Spread the love

‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા

મધ્ય પ્રદેશમાં વિકાસ અને માર્ગ માળખાગત સુવિધાઓમાં સુધારાના દાવાઓ વચ્ચે શાસક ભાજપ નેતા સાથે સંકળાયેલી એક અનોખી ઘટનાએ વ્યાપક ચર્ચા જગાવી છે. એક જાહેર કાર્યક્રમ દરમિયાન કાલાપીપલ મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય ઘનશ્યામ ચંદ્રવંશીએ તેમના વિસ્તારના જર્જરિત અને ખરાબ રસ્તાઓનો મુદ્દો ખૂબ જ ભાવનાત્મક અને આક્રમક અંદાજમાં ઉઠાવ્યો હતો. સ્ટેજ પરથી જ ધારાસભ્યએ તેમના મતવિસ્તારના રસ્તાઓની કાયાકલ્પ ન થઇ જાય ત્યાં સુધી ખુલ્લા પગે રહેવાની પ્રતિજ્ઞા લઇ લીધી.

કાર્યક્રમમાં જનતાને સંબોધતા ધારાસભ્ય ઘનશ્યામ ચંદ્રવંશીએ કહ્યું કે, જ્યાં સુધી, મારા મતવિસ્તારના રસ્તાઓ સંપૂર્ણપણે બંધ ન થાય ત્યાં સુધી જૂતા કે ચંપલ પહેરવાનો સંપૂર્ણપણે ત્યાગ કરું છું. ભલે તેમાં દસ વર્ષ જેટલો સમય કેમ ન લાગી જાય, પરંતુ જ્યાં સુધી રસ્તાઓ ન બને ત્યાં સુધી હું પગરખા પહેરીશ નહીં.

BJP-MLA

ધારાસભ્યનું આ તીખું અને ભાવનાત્મક નિવેદન સાંભળીને સ્ટેજ પર હાજર મુખ્યમંત્રી મોહન યાદવ અને અન્ય વરિષ્ઠ નેતાઓ અસ્વસ્થ દેખાઈ રહ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ તરત જ નજીકમાં બેઠેલા કેબિનેટ મંત્રી ઈન્દર સિંહ પરમાર તરફ ઈશારો કર્યો. મુખ્યમંત્રીનો ઇશારો મળતા જ મંત્રી પરમાર સ્ટેજ પર ધારાસભ્ય ચંદ્રવંશીની પાસે ગયા, તેમને પીઠ થપથપાવીને શાંત કરાવ્યા અને જાહેર હિતના અન્ય મુદ્દાઓ પર વાતચીત આગળ વધારવાનો આગ્રહ કર્યો.

ધારાસભ્ય ચંદ્રવંશીએ પગરખાં છોડવાની મોટી જાહેરાત કર્યાના થોડા સમય પછી, મુખ્યમંત્રી મોહન યાદવે પોતે માઇક્ર સંભાળ્યો અને શાંત અને હસતા અંદાજમાં ધારાસભ્યને કેટલીક સલાહ આપી નાખી. મુખ્યમંત્રીએ મંચ પરથી ટિપ્પણી કરી કા, આપણા પ્રિય, ધારાસભ્યએ ભાવનામાં આવીને આ નિવેદન આપ્યું. પરંતુ, આપણાં રાજ્યમાં 500,000 કિલોમીટરથી વધુ મજબૂત રસ્તાઓ બન્યા છે, અને વિકાસની વાત આવે ત્યારે આપણે ઓટલા નબળા નથી. આપણા પગરખાં તો આપણને વિકાસની દોડમાં આગળ વધવામાં મદદ કરે છે. કાંટા અને અવરોધો વચ્ચે પણ પૃથ્વીની કોઈ પણ તાકત આપણો માર્ગ રોકી શકતી નથી.

mohan-yadav5

ધારાસભ્યને સીધા સંબોધન કરતા મુખ્યમંત્રી મોહન યાદવે જણાવ્યું કે સરકાર સંપૂર્ણ જોશથી વિકાસ કરી રહી છે; એટલે, સારા કામ અને સાચા કાર્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા સાબિત કરવા માટે પગરખાં ઉતારવા જેવા શપથ લેવાની જરૂર નથી. તેમણે જાહેર પ્રતિનિધિઓને સાવચેત કરતા જાહેર મંચ પરથી પોતાની વાત રાખતા શિષ્ટાચાર જાળવવા અને પોતાની ભાષાનું ધ્યાન રાખવાના મહત્ત્વ પર ભાર મૂક્યો.

આ તકનો લાભ લેતા મુખ્યમંત્રીએ મુખ્ય વિપક્ષી પક્ષ કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું. તેમણે કટાક્ષ કર્યો કે પગરખાં છોડી દેવા અને ઘરે બેસવું એ કોંગ્રેસનું કામ છે, કાર કે સરકાર છેલ્લા 20 વર્ષથી રાજ્યમાં સત્તાની બહાર છે. એક વખત જનતાએ તેમને તક આપી હતી, ત્યારે પણ આંતરિક ઝઘડાને કારણે તેમણે માત્ર પંદર મહિનામાં જ તેમની સરકાર ગુમાવી દીધી.

મુખ્યમંત્રીએ ટિપ્પણી કરી કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મજબૂત નેતૃત્વ હેઠળ દેશ વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યો છે, અને કાલાપીપલ સહિત સમગ્ર રાજ્યમાં રોડ નેટવર્ક ઝડપથી સુધારી રહ્યું છે. હાલમાં, ધારાસભ્યના શપથ અને મુખ્યમંત્રીની પ્રતિક્રિયાનો વીડિયો મધ્ય પ્રદેશભરમાં સોશિયલ મીડિયા પર ટોપ ટ્રેન્ડિંગ વિષય બની ગયો છે.

Leave a Reply

error: Content is protected !!