
અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના નાણાકીય વ્યવહારોનું ઓડિટ અને CBI તપાસની માંગ કરતી અરજીઓ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અયોધ્યા રામ મંદિર દાન ચોરીના મુદ્દે રાજકાણ ન થવું જોઇએ. કોર્ટે કહ્યું કે, અમે માત્ર આ સાવચેતીના ભાગરૂપે કહી રહ્યા છીએ. અદાલતો આવા કામો માટે નથી. પ્રથમ દ્રષ્ટિઅ આ ગુનો બન્યાનો સાદો મામલો છે.
ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંત, જજ જોય માલ્યા બાગચી અને જસ્ટીસ વી મોહનની બેંચે સુનાવણી કરી હતી. અગાઉ સુપ્રીમ કોર્ટે SITનો સ્ટેટસ રિપોર્ટ માંગ્યો હતો. એ વિશે સોલીસીટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, આ આક્ષેપોની તપાસ ચાલી રહી છે અને રાજ્ય પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. તપાસ ચાલુ હોવાથી હું વધારે વિગતો જાહેર કરી શકું તેમ નથી. હવે વધારે સુનાવણી 27 જુલાએ હાથધરાશે.