પ્રાંતિજ સહિત તાલુકામાં ધીમીધારે વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
સાબરકાંઠા સહિત પ્રાંતિજ તાલુકામાં વિરામ બાદ ધીમીધારે વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો
છેલ્લા કેટલાક દિવસોથી વરસાદના અભાવે સુકાઈ રહેલા અને મુજાતા પાકને આ વરસાદથી નવું જીવનદાન મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે ખેડૂતોના જણાવ્યા મુજબ આ વરસાદ ખેતી માટે લાભદાયક સાબિત થશે અને પાકના વિકાસમાં મદદરૂપ બનશે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને પણ ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી હતી. જો આગામી દિવસોમાં પણ સારો વરસાદ ચાલુ રહેશે તો ખેતીને વધુ ફાયદો થવાની શક્યતા છે










