
જે છત્તીસગઢમાં સરકારી શાળાઓમાં બાળકોને ખુલ્લા આકાશ નીચે અભ્યાસ કરવા મજબૂર છે અને રસ્તાઓ જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. ત્યાંની ભાજપની આગેવાની હેઠળની સરકારે બે વર્ષમાં પ્રચાર પાછળ આશરે ₹2 અબજ ખર્ચ્યા છે.

મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા કરવામાં આવેલા વ્યય અંગેની વિગતો વિધાનસભામાં ઉઠાવવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં સામે આવી હતી. કોંગ્રેસના ધારાસભ્ય સાવિત્રી મનોજ માંડવીએ સવાલ પૂછ્યો હતો કે, 1 જાન્યુઆરી, 2024 થી 31 માર્ચ, 2026 વચ્ચે છત્તીસગઢ સરકારની વિવિધ યોજનાઓના પ્રચાર અને પ્રમોશન પાછળ કુલ કેટલો ખર્ચ થયો
જવાબમાં જણાવવામાં આવ્યું કે છત્તીસગઢ સરકારે છેલ્લા બે વર્ષ અને ત્રણ મહિનામાં પ્રચાર પાછળ ₹1095.20 કરોડ ખર્ચ્યા છે એટલે કે આ સરેરાશ દૈનિક ખર્ચ આશરે ₹1.3 કરોડ પ્રચાર પર ખર્ચ કરવામાં આવ્યો છે, જે નરેન્દ્ર મોદી સરકારના લગભગ ₹1.5 કરોડના દૈનિક જાહેરાત ખર્ચ કરતા થોડો ઓછો છે.
સરકારના જવાબ મુજબ, તેમાં સૌથી મોટો હિસ્સો ₹414.01 કરોડ ક્ષેત્રીય પ્રચાર પર ખર્ચવામાં આવ્યો. આ ઉપરાંત ₹344.04 કરોડ ઇલેક્ટ્રોનિક મીડિયા પર, ₹198.26 કરોડ પ્રિન્ટ મીડિયા પર, ₹19.17 કરોડ પ્રકાશન પર, ₹5.78 કરોડ સોશિયલ મીડિયા પર, ₹5.58 કરોડ સોશિયલ ડિજિટલ મીડિયા પર, ₹22 કરોડ આદિવાસી પેટા યોજનાના પ્રચાર પર અને ₹3.5 કરોડ ખાસ પ્રસંગોના પ્રચાર પર ખર્ચવામાં આવ્યા હતા. આ બધા ખર્ચને જોડીને કુલ ખર્ચ ₹1,095.20 કરોડ હતો.
આ અગાઉ પણ ન્યૂઝલોન્ડ્રી નામના ન્યૂઝ પોર્ટલે અહેવાલ પ્રકાશિત કર્યો હતો કે છત્તીસગઢ સરકારે ઓક્ટોબર અને ડિસેમ્બર 2024 વચ્ચે માત્ર ત્રણ મહિનામાં ટેલિવિઝન જાહેરાતો પર ₹18.57 કરોડ ખર્ચ્યા હતા. તે સમયે માહિતી અધિકાર (RTI) કાયદા હેઠળ મળેલી માહિતીમાં દૈનિક ખર્ચ ₹20.41 લાખ હતો.

ઉલ્લેખનીય છે કે બિલાસપુર જિલ્લાના તખ્તપુર વિધાનસભા મતવિસ્તારના ઘુટકુ ગામના સ્ટેશનપરામાં સરકારી પ્રાથમિક શાળાના બાળકો શાળાની ઇમારતની જર્જરિત સ્થિતિને કારણે ખુલ્લા આકાશ નીચે અભ્યાસ કરવા મજબૂર છે. ગ્રામજનોના મતે, શાળા વર્ષો પહેલા ખેતીના ખેતરો વચ્ચે બનાવવામાં આવી હતી, છતાં ત્યાં સુધી પહોંચવા માટે ન તો પાકો રસ્તો છે કે ન તો રસ્તો છે. એવી જ રીતે રસ્તા જેવી મૂળભૂત સુવિધાઓનો ઘણા વિસ્તારોમાં અભાવ છે.
તેવી જ રીતે, સુકમા જિલ્લાના મરુકી ગામના આદિવાસી ગ્રામજનો જણાવે છે કે તેમના ગામને જોડતા રસ્તાનું બાંધકામ વર્ષોથી અધૂરું રહ્યું છે. ખાડા અને તૂટેલા રસ્તાને કારણે ચોમાસામાં ગામનો સંપર્ક લગભગ તૂટી જાય છે. એવામાં સરકારના આ અબજોના ખર્ચ પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.