fbpx

કોણ છે નંદન નીલેકણિ, જેમને સોંપવામાં આવી પરીક્ષા સુધારાની જવાબદારી

Spread the love

કોણ છે નંદન નીલેકણિ, જેમને સોંપવામાં આવી પરીક્ષા સુધારાની જવાબદારી

NEET (UG) પરીક્ષામાં ગેરરીતિઓ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભારતમાં પરીક્ષા સુધારાઓની દેખરેખ માટે ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણિના નેતૃત્વમાં ‘હાઇ-પાવર્ડ ટાસ્ક ફોર્સ’ની રચનાની જાહેરાત કરી. પ્રખ્યાત ટેકનોલોજી નિષ્ણાતની આગેવાની હેઠળની આ ટાસ્ક ફોર્સ પરીક્ષા સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને તેની ભલામણોના આધારે ભવિષ્યની પરીક્ષાઓની પ્રામાણિકતા સુનિશ્ચિત કરશે. ચાલો આપણે જાણીએ કે નંદન નીલેકણિ કોણ છે, જેમને કેન્દ્ર સરકાર દ્વારા આ મુખ્ય જવાબદારી સોંપવામાં આવી છે.

કોણ છે નંદન નીલેકણિ?

નંદન નીલેકણિ એક પ્રતિષ્ઠિત ભારતીય ઉદ્યોગસાહસિક, ટેક્નોક્રેટ અને સમાજસેવી છે જેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ મુખ્યત્વે IT જાયન્ટ ઇન્ફોસિસના સહ-સ્થાપક અને ભારતના મહત્ત્વાકાંક્ષી આધાર પ્રોજેક્ટના શિલ્પી તરીકે જાણીતા છે. હાલમાં, તેઓ ઇન્ફોસિસના બિન-કાર્યકારી અધ્યક્ષ તરીકે સેવા આપે છે.

nandan nilekani

નીલેકણિની વાત કરીએ તો તેમણે 1981માં એન.આર. નારાયણ મૂર્તિ અને પાંચ અન્ય સહયોગીઓ સાથે મળીને ઇન્ફોસિસની સ્થાપના કરી હતી. તેમણે 2002 થી 2007 સુધી કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે સેવા આપી, જે સમયગાળા દરમિયાન કંપનીએ વૈશ્વિક સ્તરે ભારે સફળતા મેળવી. આંતરિક વિવાદો વચ્ચે તેઓ 2017માં કંપનીમાં ચાલી રહેલા વિવો વચ્ચે તેઓ પાછા ફર્યા અને બોર્ડના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેનની ભૂમિકા સંભાળી.

ભારત સરકારે તેમને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)ના પ્રથમ ચેરમેન તરીકે નિયુક્ત કર્યા હતા. જ્યાં તેમણે 2009 થી 2014 સુધી કેબિનેટ મંત્રીના દરજ્જા પર કામ કર્યું. તેમણે વિશ્વના સૌથી મોટા બાયોમેટ્રિક ઓળખ કાર્યક્રમ આધાર’ માટે બ્લુપ્રિન્ટ ડિઝાઇન કરી અને તેનું સફળતાપૂર્વક લાગૂ અમલીકરણ કરાવ્યું.

nandan nilekani

તેમણે ભારતના ડિજિટલ જાહેર માળખા (જેમ કે UPI ચૂકવણી પ્રણાલી અને ઇન્ડિયા સ્ટેકને પ્રોત્સાહન) બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. સરકારે NTA પરીક્ષાઓમાં તકનીકી અને માળખાકીય સુધારાઓ માટે એક બહુ-વિષયક નિષ્ણાત જૂથની રચના કરી છે. ટાસ્ક ફોર્સના સભ્યોમાં ISROના ભૂતપૂર્વ ચેરમેન એસ. સોમનાથ અને તપન ડેકા, IIT મદ્રાસના ડિરેક્ટર વી. કામકોટી, ભૂતપૂર્વ શિક્ષણ સચિવ અનિતા કરવાલ અને અમૃત લાલ મીણા (લોજિસ્ટિક્સ નિષ્ણાત તરીકે નિયુક્ત)નો સમાવેશ થાય છે.

ટાસ્ક ફોર્સના ઉદ્દેશ્યને શું છે:

ટેકનોલોજી દ્વારા પરીક્ષા પ્રણાલીમાં સુધારો કરવો- સુરક્ષા, CAT અને AI-સહાયિત મૂલ્યાંકન પર ધ્યાન કેન્દ્રિત કરવું.

માળખાકીય સુધારા: NTA સિસ્ટમમાં મોટા ફેરફારો લાવવા.

ડોમેન એક્સપર્ટાઇઝ: વિવિધ ક્ષેત્રોના ટોચના નિષ્ણાતોની સલાહ લઈને પેપર લીક અને અનિયમિતતાઓને અટકાવવી.

આ પગલું પ્રો. કે. રાધાકૃષ્ણન સમિતિની ભલામણો બાદ ઉઠાવવામાં આવ્યું છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, NTAએ 4 જનરલ મેનેજર (GM) પોસ્ટ્સ અને 16 ‘યુવા વ્યાવસાયિકો’ માટે ભરતી પણ શરૂ કરી હતી.

આ ટાસ્ક ફોર્સ પાસે અપેક્ષા છે કે NEET અને JEE જેવી મુખ્ય પરીક્ષાઓને વધુ સુરક્ષિત, પારદર્શક અને ટેકનોલોજી-સક્ષમ બનાવવામાં આવે.

Leave a Reply

error: Content is protected !!