
NEET પેપર લીક મુદ્દે દેશવ્યાપી Gen Zના વિરોધ વચ્ચે, ગુજરાતમાં એક ખુબ મોટો ફેરફાર થયેલો જોવા મળ્યો છે. જીગર ઇનામદારને વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ના મેનેજમેન્ટ બોર્ડમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. વડોદરાના રાજમાતા શુભાગિની રાજે ગાયકવાડ અને વાઇસ ચાન્સેલર પ્રો. (ડૉ.) બાલચંદ્ર ભાણગે પછી, જીગર ઇનામદારને મેનેજમેન્ટ બોર્ડમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. યુવાનોને સાથે જોડવામાં માસ્ટર, જીગર ઇનામદાર વિદ્યાર્થી રાજકારણથી, રાજનીતિમાં અને શિક્ષણ ક્ષેત્રમાં કામ કરવાનો અનુભવ ધરાવે છે. તેમની સૌથી મોટી તાકાત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)માં તેમની મજબૂત પૃષ્ઠભૂમિમાં રહેલી છે. તેઓ સંઘના ત્રીજા વર્ષના પ્રશિક્ષિત સ્વયંસેવક છે.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંની એક ગણવામાં આવે છે. જીગર ઇનામદાર પહેલા પણ આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી તરીકે, ફેકલ્ટી જનરલ સેક્રેટરી, સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમણે ગુજરાતમાં યુવાનોને જોડવાની કુશળતા દર્શાવી ચુક્યા છે. નરેન્દ્ર મોદી રાજ્યના CM હતા ત્યારે તેઓ એક સમયે ‘યુગાંતર’ કાર્યક્રમ દ્વારા હેડલાઇન્સમાં આવ્યા હતા. જીગર ઇનામદાર RSS સંસ્કૃતિમાં ઉછર્યા હતા, અને PM નરેન્દ્ર મોદીના જીવનનો તેમના પર ખુબ મોટો પ્રભાવ રહ્યો છે. આ જ કારણ છે કે PM મોદીએ 27 વર્ષની ઉંમરે વિધાનસભા ચૂંટણીમાં જીગર ઇનામદારને મેદાનમાં ઉતાર્યા હતા, જોકે તેઓ કોંગ્રેસના ગઢમાં હારી ગયા હતા.
જીગર ઇનામદારે સુશાસન માટે જાણીતા મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના કાર્યને યુવાનોની વચ્ચે લઇ જવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. તેમણે BJP યુવા મોરચા સાથે ગુજરાત રાજ્ય યુવા બોર્ડમાં મહત્વપૂર્ણ હોદ્દા સંભાળ્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ અને સેનેટ સહિત વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓ પતિ ગયા પછી જીગર દિલ્હી યુનિવર્સિટી (DU) સાથે સંકળાયેલા છે. રામાનુજન કોલેજ પછી, તેઓ હાલમાં DUની રામલાલ આનંદ કોલેજના અધ્યક્ષ છે. હવે, તેમને MS યુનિવર્સિટીના મેનેજમેન્ટ બોર્ડના મુખ્ય સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જીગર ઇનામદાર PM મોદીના ‘રાષ્ટ્ર પ્રથમ’ના મંત્રમાં વિશ્વાસ ધરાવે છે.
જીગર ઇનામદારનો મહારાજા સયાજીરાવ સાથેનો સંબંધ એ વાત પરથી અંદાજી શકાય છે કે, તેમણે સુશાસનની ફિલોસોફી અને તેની સુસંગતતા પર PHD પૂર્ણ કર્યું. જીગર ઇનામદારે 2000માં બરોડાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી વાણિજ્યમાં સ્નાતકની ડિગ્રી મેળવી, ત્યારપછી સરદાર પટેલ યુનિવર્સિટી, આણંદમાંથી LLB કર્યું. ઇનામદારે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં MA કર્યું છે. ઇનામદારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી જાહેર વહીવટમાં PHD કર્યું છે. જીગર ઇનામદાર હાલમાં 47 વર્ષના છે અને અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં તેમના પ્રભાવશાળી સંદેશાવ્યવહાર કૌશલ્ય માટે જાણીતા છે.

જીગર ઇનામદાર યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. ઘણા વર્ષોથી, તેઓ સમન્વય પ્રતિષ્ઠાન હેઠળ ગુજરાતમાં યંગ થિંકર્સ મીટ્સ અને ચેન્જ મેકર્સ મીટ્સનું આયોજન કરી રહ્યા છે. સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તરીકે સેવા આપતી વખતે, જીગર ઇનામદારે MSU ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીડરશીપ એન્ડ ગવર્નન્સ (ILG)ની સ્થાપના કરી. જીગર ઇનામદાર દેશભરની અનેક યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલા છે. DUમાં અભ્યાસ કર્યા પછી તેમનું ગુજરાત પરત ફરવું મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જીગર ઇનામદારનું સત્તાવાર પુનરાગમન આવતા વર્ષે રાજ્યની ચૂંટણીઓ પહેલા જ થયું છે. વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશી પણ જીગર ઇનામદારના નજીકના સહયોગીઓમાંના એક છે.