
રાજકોટમાં આવેલી લોધિકા સહકારી સંઘમાં 8 સપ્ટેમ્બરે ચૂંટણીની તારીખ જાહેર થઇ છે અને 9 સપ્ટેમ્બરે પરિણામ જાહેર થશે. 16 બેઠકો પર મતદાન થશે. આમ તો આ ચૂંટણી એકદમ નાની છે, પરંતુ રાજકારણના 2 દિગ્ગજો સામ સામે હોવાને કારણે ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની ગઇ છે.
સોધિકા સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપના ધારાસભ્ય જયેશ રાદડીયા અને ભાજપ સંગઠનના મહામંત્રી પ્રશાંત કોરાટ સામે સામે એકબીજાના ગ્રુપના ઉમેદવારોને સમર્થનમાં ઉતરી ગયા છે.રાદડીયાને ભાજપે છેલ્લાં કેટલાંક સમયથી સાઇડ લાઇન કરી દીધા છે.

પ્રશાંત કોરાટ અરવિંદ રૈયાણીને સમર્થન કરી રહ્યા છે, જ્યારે જયેશ રાદડીયા નિતીન ઢાંકેચાને સમર્થમાં ઉતરેલા છે. જો આ ચૂંટણીમાં જયેશ રાદડીયાનું ગ્રુપ હારશે તો તેમની રહી સહી પ્રતિષ્ઠાને ધક્કો પહોંચશે. પ્રશાતં કોરાટ અત્યારે સંગઠનમાં એક્ટીવ છે.