fbpx

‘પૈસા એવી વસ્તુ છે કે..’, ચંપાઈ બળવાખોર થવાની અટકળો પર હેમંતે તોડ્યું મૌન

Spread the love

ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના નેતા અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન હાલમાં દિલ્હીમાં છે. એક દિવસ અગાઉ ગુવાહાટીમાં હિમંતા બિસ્વા સરમા સાથે મુલાકાત કરવાની વાત કહેવામાં આવી રહી છે, પછી કાલે રાત્રે તેઓ કોલકાતા પહોંચ્યા હતા અને અહી સુવેન્દુ અધિકારીને મળ્યા હતા. હવે તેમણે X (અગાઉ ટ્વીટર) હેન્ડલથી ઝારખંડ મુક્તિ મોરચાનું નામ પણ હટાવી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ભાજપમાં સામેલ થઈ શકે છે અને તેમની સાથે JMMના કેટલાક અન્ય ધારાસભ્ય પણ પક્ષ પલટો કરવાની તૈયાર છે.

આ અંગે સવાલ પૂછવામાં આવતા ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને રવિવારે નામ લીધા વિના ઇશારાઓમાં ચંપાઈ સોરેન અને ભાજપ પર પ્રહાર કર્યો. તેમણે આરોપ લગાવ્યો કે, પૈસાઓના દમ પર ઘર અને પાર્ટીમાં ફૂટ પાડવામાં આવી રહી છે. હેમંત સોરેને કહ્યું કે, ખૂબ જલદી રાજ્યમાં ચૂંટણી ઘંટ વાગવાનો છે, ચૂંટણી ક્યારે થશે તેનો ઘંટ અમારા વિરોધી ભાજપ પાસે છે. ચૂંટણી પંચ હવે સંવૈધાનિક સંસ્થા નથી, હવે તે ભાજપની સંસ્થા બની ગઈ છે. અમે તો પડકાર આપીને કહીએ છીએ કે આજે ચૂંટણી કરાવો, કાલે ઝાડુ-પોતું કરીને તેમને ગુજરાત જવું પડશે.

હેમંત સોરેને કહ્યું કે, આ લોકો ગુજરાત, આસામ, મહારાષ્ટ્રથી લોકોને લાવીને આદિવાસીઓ, દલિતો અને લઘુમતીઓ વચ્ચે ઝેર વાવવાનું કામ, એક બીજા સાથે લડવાનું કામ છે. સમાજ તો છોડો, આ લોકો ઘર ફોડવા અને પાર્ટી તોડવાનું કામ કરે છે. મોટા ભાગે તેઓ ધારાસભ્યોને ખરીદી લેશે, પૈસા એવી વસ્તુ છે કે નેતા લોકોને પણ આમ તેમ જવામાં વાર નથી લાગતી, ખેર કોઈ વાંધો નહીં. અમારી ઈન્ડિયા ગઠબંધનની સરકાર 2019થી સતત જનતા વચ્ચે ઊભી છે. સૂત્રો મુજબ ચંપાઈ સોરેન સાથે જે 6 JMM  ધારાસભ્યોના બળવાખોર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, તેમાં દશરથ ગગરાઈ, રામદાસ સોરેન, ચમરા લિંડા, લોબિન હેમ્બ્રોમ અને સમીર મોહતી સામેલ છે.

જો કે, ખરસાંવ ધારાસભ્ય દશરથ ગગરાઈએ એક નિવેદન જાહેર કરીને ભાજપમાં સામેલ થવાની અટકળો ફગાવી છે. તેમણે કહ્યું કે, હું JMMને ધોખો નહીં આપી શકું. અડધી રોટલી ખાશુ, પરંતુ JMMના માન સન્માન નીચે નહીં થવા દઈએ. ગુરુ શિબુ સોરેન મારા નેતા છે. ચંપાઈ સોરેનને જ્યારે શુક્રવારે પત્રકારોએ ભાજપમાં સામેલ થવાની અટકળો બાબતે સવાલ કર્યો હતો તો તેમણે હસતા માત્ર એટલું કહ્યું હતું કે તમે લોકો એવા સવાલ કરી રહ્યા છે, તેના પર શું બોલું. અમે તો તમારી સામે છીએ.

તો રવિવારે પણ તેમને ભાજપમાં સામેલ થવાની અટકળોનું ખંડન કર્યું અને કહ્યું કે, હું જ્યાં હતો, ત્યાં જ છું, પરંતુ થોડા સમય બાદ તેમણે પોતાના X હેન્ડલના બાયોથી JMM મુક્તિ મોરચાનું નામ હટાવી દીધું. JMMએ ચંપાઈ સોરેન ભાજપમાં સામેલ થવાના સમચારોને માત્ર અફવા બતાવીને ખંડન કરી દીધું. JMMના પ્રવક્તા મનોજ પાંડેએ ભાજપને ડૂબતો જહાજ બતાવતા કહ્યું કે, ચંપાઈ સોરેન ક્યારેય ભગવા પાર્ટીમાં સામેલ થવા પર વિચાર નહીં કરે.

કથિત ભૂમિ કૌભાંડ કેસમાં 31 જાન્યુઆરી ED દ્વારા મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ કર્યા બાદ સોરેન પરિવારના નજીકના કહેવાતા ચંપાઈ સોરેનને મુખ્યમંત્રી બનાવાયા હતા. જો કે, ઝારખંડ હાઇકોર્ટે હેમંત સોરેનને જામીન આપ્યા બાદ ચંપાઈ સોરેનને 3 જુલાઈએ રાજીનામું આપવું પડ્યું. હેમંત સોરેને આજ દવસે ફરી મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. ત્યારબાદ જ ચંપાઈ સોરેન નારાજ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.

error: Content is protected !!