fbpx

પરિવારવાદી રાજનીતિ નવી પ્રતિભાઓનું દમન કરી દે છેઃ PM નરેન્દ્ર મોદી

Spread the love

રવિવારે મન કી બાત કાર્યક્રમમાં PM મોદીએ કહ્યું હતું કે, આ વર્ષે મેં લાલ કિલ્લા પરથી રાજકીય પૃષ્ઠભૂમિ વગરના એક લાખ યુવાનોને રાજકારણ સાથે જોડાવાનું આહ્વાન કર્યું છે. મારી આ વાત પર જબરદસ્ત પ્રતિક્રિયાઓ આવી છે. તેનાથી જાણવા મળે છે કે કેટલી મોટી સંખ્યામાં આપણા યુવાનો રાજનીતિમાં આવવા તૈયાર બેઠા છે. બસ, તેમને સાચી તક અને સાચા માર્ગદર્શનની શોધ છે.આ વિષય પર મને દેશભરના યુવાનોના પત્રો પણ મળ્યા છે. સૉશિયલ મીડિયા પર પણ જબરદસ્ત પ્રતિભાવ મળી રહ્યો છે. લોકોએ મને અનેક પ્રકારનાં સૂચનો પણ મોકલ્યાં છે. કેટલાક યુવાનોએ પત્રમાં લખ્યું છે કે તે તેમના માટે ખરેખર અકલ્પનીય છે. દાદા કે માતાપિતાનો કોઈ રાજકીય વારસો ન હોવાના કારણે, તેઓ રાજનીતિમાં ઇચ્છીને પણ નહોતા આવી શકતા. કેટલાક યુવાનોએ લખ્યું કે તેમની પાસે જમીન સ્તર પર કામ કરવાનો સારો અનુભવ છે, આથી, તેઓ લોકોની સમસ્યાઓ ઉકેલવામાં મદદરૂપ થઈ શકે છે. કેટલાક યુવાનોએ એ પણ લખ્યું કે પરિવારવાદી રાજનીતિ નવી પ્રતિભાઓનું દમન કરી દે છે. કેટલાક યુવાનોએ કહ્યું કે આ પ્રકારના પ્રયાસોથી આપણા લોકતંત્રને વધુ મજબૂતી મળશે. હું આ વિષય પર સૂચન મોકલવા માટે દરેકનો ધન્યવાદ કરું છું. મને આશા છે કે હવે આપણા સામૂહિક પ્રયાસોથી એવા યુવાનો, જેમની કોઈ રાજકીય પૃષ્ઠભૂમિ નથી, તેઓ પણ રાજનીતિમાં આગળ આવી શકશે, તેમનો અનુભવ અને તેમનો જોશ, દેશને કામમાં આવશે.

તેમણે વધુમાં કહ્યું કે, સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન પણ સમાજના દરેક ક્ષેત્રમાંથી આવા અનેક લોકો સામે આવ્યા હતા, જેમની કોઈ રાજકીય પૃષ્ઠભૂમિ નહોતી. તેમણે પોતાને ભારતની સ્વતંત્રતા માટે સમર્પિત કરી દીધા હતા. આજે આપણે વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે એક વાર ફરી તે ભાવનાની આવશ્યકતા છે. હું મારા બધા યુવા સાથીઓને કહીશ કે આ અભિયાન સાથે જરૂર જોડાવ. તમારું આ પગલું તમારા અને દેશના ભવિષ્યને બદલનારું હશે.

PM મોદીએ આ સિવાય કહ્યું હતું કે, ‘હર ઘર તિરંગા’ અને ‘પૂરા દેશ તિરંગા’ આ વખતે આ અભિયાન પોતાની પૂરી ઊંચાઈ પર રહ્યું. દેશના ખૂણેખૂણેથી આ અભિયાન સાથે જોડાયેલી અદ્બુત તસવીરો સામે આવી છે.આપણે ઘરો પર તિરંગો લહેરાતો જોયો- શાળા, કૉલેજ, યુનિવર્સિટીમાં તિરંગો જોયો. લોકોએ પોતાની દુકાનો, કાર્યાલયોમાં તિરંગો જોયો, લોકોએ પોતાના ડેસ્કટૉપ, મોબાઇલ અને ગાડીઓમાં પણ તિરંગો લહેરાવ્યો. જ્યારે લોકો એક સાથ જોડાઈને પોતાની ભાવના પ્રગટ કરે છે તો આ રીતે દરેક અભિયાનને ચાર ચાંદ લાગી જાય છે. હવે તમે તમારા ટીવી સ્ક્રીન પર જે તસવીરો જોઈ રહ્યા છો, તે જમ્મુ-કાશ્મીરના રિયાસીની છે. ત્યાં 750 મીટર લાંબા ઝંડા સાથે તિરંગા રેલી કાઢવામાં આવી હતી અને આ રેલી દુનિયાના સૌથી ઊંચા ચિનાબ રેલવે બ્રિજ પર કાઢવામાં આવી હતી. જેણે પણ આ તસવીરોને જોઈ, તેમનું મન ખુશીથી ઝૂમી ઊઠ્યું. શ્રીનગરના ડલ સરોવરમાં પણ તિરંગા યાત્રાની મનમોહક તસવીરો આપણે બધાએ જોઈ. અરુણાચલ પ્રદેશના ઇસ્ટ કામેંગ જિલ્લામાં પણ 600 ફીટ લાંબા તિરંગા સાથે યાત્રા કાઢવામાં આવી. દેશનાં અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારે, દરેક આયુના લોકો, આવી તિરંગા યાત્રાઓમાં સહભાગી થયા. સ્વતંત્રતા દિવસ હવે એક સામાજિક પર્વ પણ બનતો જઈ રહ્યો છે, તે, તમે પણ અનુભવ્યું હશે. લોકો પોતાનાં ઘરોને તિરંગા માળાથી સજાવે છે. ‘સ્વયં સહાયતા સમૂહ’ સાથે જોડાયેલી મહિલાઓ લાખો ધ્વજ તૈયાર કરે છે. ઇ-કૉમર્સ પ્લેટફૉર્મ પર તિરંગામાં રંગાયેલા સામાનનું વેચાણ વધી જાય છે. સ્વતંત્રતા દિવસના અવસર પર દેશના દરેક ખૂણે, જલ-થલ-નભ- બધી જગ્યાએ આપણા ઝંડાના ત્રણ રંગો દેખાયા. હર ઘર તિરંગા વેબસાઇટ પર પાંચ કરોડથી વધુ સેલ્ફીઓ પણ પૉસ્ટ કરવામાં આવી. આ અભિયાને પૂરા દેશને એક સૂત્રમાં બાંધી દીધો છે અને આ જ તો ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ છે.

error: Content is protected !!