fbpx

શું પતંજલિની આ પ્રોડક્ટમાં છે માછલીનો અર્ક? વેજ બતાવીને વેચાઈ રહી છે કોર્ટે…

Spread the love

યોગ્ય ગુરુ બાબરામદેવની પતંજલિ ફરી એક વખત વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. દિલ્હી હાઇ કોર્ટે પતંજલિના દિવ્ય દંત મંજનને શાકાહારી બ્રાંડના રૂપમાં રજૂ કરવા વિરુદ્ધ કાર્યવાહી માટેના અનુરોધ સંબંધિત અરજી પર શુક્રવારે કેન્દ્ર પાસે જવાબ માગ્યો હતો. અરજીકર્તાના વકીલે દાવો કર્યો કે દંત ચિકિત્સા પ્રોડક્ટને લીલા રંગના ડોટ સાથે વેચવામાં આવે છે, જે એ દર્શાવે છે કે, આ વસ્તુ શાકાહારી છે, પરંતુ આ દંત પ્રોડક્ટમાં માછલીનો અર્ક છે, જે એક માંસાહારી છે.

જસ્ટિસ સંજીવ નરૂલાએ વકીલ યતિન શર્માની અરજી પર કેન્દ્ર, ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનાંક ઓથોરિટી (FSSI) સાથે સાથે પતંજલિ, દિવ્ય ફાર્મસી, યોગ્ય ગુરુ બાબરામદેવ અને અન્ય સંબંધિત પક્ષોને નોટિસ આપી છે. અરજીકર્તાના વકીલે દલીલ આપી કે કાયદામાં કોઈ દાવાને શાકાહારી કે માંસાહારી જાહેર કરવાનું પ્રાવધાન નથી, પરંતુ દિવ્ય દંત મંજનના પેકેજિંગ ઉપર લીલા રંગનું ડોટ અંકિત છે, જે ઔષધિ અને પ્રસાધન સામગ્રી અધિનિયમ હેઠળ ખોટી બ્રાન્ડિંગના રૂપમાં આવે છે.

આ કેસની આગામી સુનાવણી નવેમ્બરમાં થશે. અરજીકર્તા તરફથી રજૂ થયેલા એડવોકેટ સ્વપ્નિલ ચૌધરી અને પ્રશાંત ગુપ્તાએ કહ્યું કે, ઉત્પાદનમાં સમુદ્ર ફેન (સીપિય ઑફિસિનેલિસ) છે, જે માછલીના અર્કથી પ્રાપ્ત થાય છે. અરજીકર્તાએ દાવો કર્યો કે આ વાત તેમના અને તેમના પરિવાર માટે દુઃખદ છે જે ધાર્મિક વિશ્વાસ અને આસ્થાના કારણે માત્ર શાકાહારી સામગ્રી/ઉત્પાદનો ઉપયોગ કરે છે.

ઉલ્લેખનીય છે કે, રામદેવને છેલ્લા કેટલાક સમયમાં ખૂબ પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. પતંજલિની જાહેરાતને લઈને સુપ્રીમ કોર્ટે આ વર્ષની શરૂઆતમાં રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને આડે હાથ લીધા હતા. કોર્ટે પતંજલિ આયુર્વેદને તેના દ્વારા નિર્મિત દવાઓ સાથે સંબંધિત કોઈ પણ જાહેરાત પ્રકાશિત ન કરવા માટે નિર્દેશ આપતા ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે આ પ્રકારની ભ્રામક જાહેરાતોના માધ્યમથી આખા દેશને ગુમરાહ કરવામાં આવી રહ્યો છે. ઘણા મહિનાઓ સુધી સુનાવણી ચાલી અને ફટકાર બાદ યોગગુરુ રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે હાલમાં જ અવમાનનાની કાર્યવાહીને બંધ કરી દીધી હતી.

error: Content is protected !!