fbpx

DMને ‘Bisleri’ને બદલે ‘Bilseri’ની બોટલ આપવી ભારે પડી, જુઓ શું કર્યું અધિકારીએ

Spread the love

ઉત્તર પ્રદેશના બાગપતમાં જિલ્લા મેજિસ્ટ્રેટ (DM)ની સૂચના પર, ખાદ્ય વિભાગે નકલી ઉત્પાદનો સામે કાર્યવાહી કરી અને પાણીની 2 હજાર 663 નકલી બોટલોનો નાશ કર્યો. નકલી પાણી કૌભાંડ પકડ્યા પછી, DMએ હવે સૂચનાઓ આપી છે કે, જે સંસ્થાઓ સંગ્રહ કરેલી શાકભાજી રાંધે છે અને તેને ઘણા દિવસો સુધી રસોઈ બનાવીને પીરસે છે અને મોમો અને સમોસા વગેરે સાથે પીરસવામાં આવતી ચટણીમાં રંગ ઉમેરે છે, તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

હકીકતમાં, જ્યારે DM જિતેન્દ્ર પ્રતાપ સિંહે એક ઈવેન્ટ દરમિયાન ટેબલ પર એક નકલી પાણીની બોટલ જોઈ, તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને અધિકારીઓને બોલાવીને તેની જાણકારી આપી. આ પછી, અધિકારીઓએ દરોડા પાડ્યા અને ‘બિસલેરી’ બ્રાન્ડ જેવા જ પણ ‘બિલસેરી’ના ભળતા જ નામની પાણીની બોટલો વેચતી દુકાનો અને વેરહાઉસ પર દરોડા પાડ્યા.

સરકારી નિવેદન અનુસાર, શનિવારે બાગપત ‘તહેસીલ કમ્પ્લીટ સોલ્યુશન ડે’ દરમિયાન, જિલ્લા મેજિસ્ટ્રેટ જિતેન્દ્ર પ્રતાપ સિંહ અને પોલીસ અધિક્ષક અર્પિત વિજયવર્ગીય જિલ્લાની સરહદ પર આવેલી પોલીસ ચોકી નિવાડા પહોંચ્યા હતા.

DMની સામે નકલી 500 ml પાણીની બોટલ મૂકવામાં આવી હતી. બોટલ પર ન તો ફૂડ લાયસન્સ નંબર હતો કે ન તો અન્ય કોઈ પુરાવા. જ્યારે DMએ તેને હાથમાં લઈને તપાસી તો તેમને ખબર પડી કે તે નકલી પાણીની બોટલ હતી. તેમણે તરત જ ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓને સ્થળ પર બોલાવ્યા અને પાણીની શુદ્ધતા તપાસવાનો આદેશ આપ્યો. આ પછી ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ કમિશનર માનવેન્દ્ર સિંહે પોલીસ ચોકીના ઈન્ચાર્જ નિવાડાની પૂછપરછ કરી.

પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે, પાણીની બોટલ ગૌરીપુરની એક દુકાનમાંથી ખરીદી હતી. દુકાન પર પહોંચીને જાણવા મળ્યું કે, જવાહર નગર, ગૌરીપુરનો ભીમ સિંહ લાયસન્સ વગર પોતાના ઘરમાં પાણીની બોટલોનો ગોદામ બનાવીને જિલ્લાના અન્ય સ્થળોએ સપ્લાય કરી રહ્યો હતો.

ભીમ સિંહની પૂછપરછ પર જાણવા મળ્યું કે, નકલી બ્રાન્ડની પાણીની બોટલો હરિયાણાથી બાગપત જિલ્લાની અન્ય દુકાનોમાં સપ્લાય કરવામાં આવે છે. આ સંદર્ભે જિલ્લા મેજીસ્ટ્રેટે એક ટીમ બનાવી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. તેમણે કહ્યું કે, અસલી બ્રાન્ડના નામે નકલી ખાદ્ય પદાર્થોનું વેચાણ ન કરવું જોઈએ. જો કોઈ વેચાણ કરતો જોવા મળશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

સંબંધિત વ્યક્તિ ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટને ખાદ્ય અને પીણા ઉત્પાદનોના નકલી સંસ્કરણોની જાણ પણ કરી શકે છે, જેથી નકલી ખાદ્ય ચીજોનું વેચાણ અટકાવી શકાય.

જિલ્લા મેજિસ્ટ્રેટે એવી સૂચનાઓ પણ આપી છે કે, જેઓ ઘણા દિવસોથી રાખેલા જૂના શાકભાજીનું વેચાણ કરે છે અને ચટણીમાં મોટા પ્રમાણમાં કલર ઉમેરે છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

જ્યારે આસિસ્ટન્ટ ફૂડ સેફ્ટી કમિશનર માનવેન્દ્ર સિંઘે પાણીની બોટલો જપ્ત કરી તપાસ કરી તો ગેરરીતિ સામે આવી હતી . તેમજ વેરહાઉસ માટે લાયસન્સ ન હોવા અંગે આરોપીને ચલણ ફટકારી કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. વેરહાઉસ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યું હતું.

આ સ્થિતિને ગંભીરતાથી લેતા, DMએ ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગને જિલ્લામાં કાર્યરત આવા તમામ મથકોની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે, જે બ્રાન્ડેડ ઉત્પાદનોની નકલ કરીને નકલી વસ્તુઓનું વેચાણ કરે છે.

આ અંગે DMએ કહ્યું કે, નકલી પ્રોડક્ટ્સ વેચવી એ માત્ર ગ્રાહકો સાથે છેતરપિંડી નથી, પરંતુ તે તેમના સ્વાસ્થ્ય સાથે પણ રમત છે. આવા મામલામાં કડક કાર્યવાહી કરવામાં આવી હતી, જેથી બજારમાંથી નકલી સામાનનું વેચાણ અટકાવી શકાય.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!