fbpx

તમામ અટકળોનો અંત લાવીને CM નીતિશ કુમારે કહી દીધું NDA છોડશે કે નહીં

Spread the love

રાષ્ટ્રીય જનતા દળ (AJD)ના સુપ્રીમો લાલુ યાદવની ઓફરથી સર્જાયેલી રાજકીય અટકળોનો અંત લાવવા માટે JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ CM નીતીશ કુમાર પોતે આગળ આવ્યા છે. પ્રગતિ યાત્રા દરમિયાન તેમણે ફરી વખત કહ્યું કે, હવે તેઓ ક્યાંય નહીં જાય અને તેઓ NDAમાં જ રહેશે. તેમણે કહ્યું કે, તેઓ બે વાર ભૂલથી આમ તેમ નીકળી ગયા હતા, પરંતુ હવે તેઓ તેમના જૂના સાથી સાથે જ રહેશે. સતત ત્રીજા દિવસે CM નીતિશ કુમારે લાલુ યાદવની ઓપન ઓફરનો જવાબ આપ્યો છે. વૈશાલી પહેલા શનિવારે ગોપાલગંજ અને રવિવારે મુઝફ્ફરપુરમાં આ જ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હતું. સોમવારે CM નીતિશ કુમાર પ્રગતિ યાત્રા પર વૈશાલી પહોંચ્યા હતા. તેમણે જનતા દળ યુનાઇટેડ (JDU)ના પ્રદેશ અધ્યક્ષના વિસ્તાર મહનારના નગવાં ગામથી પ્રગતિ યાત્રાની શરૂઆત કરી, જ્યાં CM નીતીશ કુમારના સ્વાગત માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. CM નીતીશ કુમારે જિલ્લામાં 125 યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું.

વૈશાલી જિલ્લાના નગવાં ગામની મુલાકાત દરમિયાન મીડિયાના સવાલો પર CM નીતિશ કુમારે કહ્યું કે, બે વખત ભૂલ થઈ, હવે બધું સુધારી લેવામાં આવ્યું છે. હવે ક્યાંય જવાનું નથી. આદરણીય અટલ બિહારી વાજપેયીએ મને પહેલીવાર CM બનાવ્યા. એટલા માટે અમે અમારા જૂના મિત્રોને છોડીશું નહીં. તેમણે કહ્યું કે, અટલજીએ મારું ઘણું સન્માન કર્યું. કેન્દ્ર સરકારમાં તેમની સાથે કામ કર્યું. અમે જે વિભાગમાં રહ્યા હતા, ત્યાં અમારું કામ ઝડપથી પૂરું થતું હતું. તેઓ ઈચ્છતા હતા કે અમે બિહારના CM બનીએ.

આ પહેલા રવિવારના રોજ પ્રગતિ યાત્રા પર મુઝફ્ફરપુર પહોંચેલા CM નીતીશ કુમારે કોઈ પણ સવાલ પૂછ્યા વિના કહ્યું હતું કે, તેમણે આમ તેમ નીકળી જઈને પહેલા બે વાર ભૂલ કરી છે. હવે તેમને છોડીને જૂના મિત્રો પાસે પાછા ફર્યા છે. હવે એ લોકો સાથે નહીં જઈએ. લાલુ યાદવ અને રાબડી દેવીના શાસનની ટીકા કરતા તેમણે કહ્યું કે, તે સમયે સાંજે કોઈ ઘરની બહાર નીકળી શકતું ન હતું. તેઓએ મહિલાઓ માટે પણ કંઈ કર્યું નથી. CM નીતિશ કુમારે 4 જાન્યુઆરી (શનિવાર) ગોપાલગંજમાં પણ આ જ વાત કહી હતી.

અહીં તમને જણાવી દઈએ કે, 1 જાન્યુઆરીએ એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં લાલુ યાદવે CM નીતિશ કુમાર માટે મહાગઠબંધનના દરવાજા ખુલ્લા રાખવાની વાત કરી હતી. લાલુએ કહ્યું હતું કે, CM નીતીશ કુમાર આવે તો તેમની સાથે કામ કરવામાં કોઈ વાંધો નથી. પરંતુ તેજસ્વી યાદવે ઘણી વખત કહ્યું કે, CM નીતીશ કુમાર માટે અમારા દરવાજા બંધ છે.

error: Content is protected !!