
પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભને લઈને સીએમ યોગી આદિત્યનાથે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મહાકુંભમાં 50 થી 55 કરોડ લોકો આવશે, જેનાથી યુપીની અર્થવ્યવસ્થાને વેગ મળશે. તેમણે કહ્યું કે કેટલાક લોકો કુંભ પર આંગળી ચીંધે છે, અમે આવા લોકોને કહેવા માંગીએ છીએ કે કુંભના આયોજનમાં 1500 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા અને તેના બદલામાં અમને 3 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે તો તે સારું જ છે ને.
હાલમાં, સરકારી આંકડાઓ અનુસાર, મહાકુંભ-2025 માં પવિત્ર ડૂબકી મારનારા ભક્તોની સંખ્યા 50 કરોડને વટાવી ગઈ છે. ભારત, ચીન પછી આ વિશ્વની ત્રીજી સૌથી મોટી આબાદી છે. કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી કોઈ આયોજનમાં આટલી મોટી સંખ્યામાં લોકોના સહભાગી થવાના કોઈ પુરાવા નથી. બ્રાઝિલના રિયો કાર્નિવલ અથવા જર્મનીના ઑક્ટોબરફેસ્ટમાં જે ભીડ એકઠી થાય છે તે મહાકુંભની સરખામણીમાં કંઈ નથી.

તમને જણાવી દઈએ કે રિયો કાર્નિવલ બ્રાઝિલના રિયો ડી જેનેરિયો શહેરમાં ઉજવવામાં આવતો એક મોટો તહેવાર છે. તો, ઓક્ટોબરફેસ્ટ જર્મનીમાં એ મ્યુનિક ઉજવવામાં આવતો વાર્ષિક તહેવાર છે, જે સપ્ટેમ્બરના અંતમાં શરૂ થાય છે અને ઓક્ટોબરના પ્રથમ રવિવારે સમાપ્ત થાય છે.
જો કે, કુંભ સમાપ્ત થવામાં હજુ ઘણો સમય છે, તેથી આ આંકડો વધુ વધશે. છેલ્લું અમૃત સ્નાન પણ બાકી છે, જે મહાશિવરાત્રિ પર થશે. આ દરમિયાન કાલે પ્રયાગરાજ મહાકુંભમાં વધુ એક નવો રેકોર્ડ પણ નોંધાયો છે. મહાકુંભમાં 300 સ્વચ્છતા કર્મચારીઓએ ગંગા અને સંગમ પર બનેલા ત્રણ ઘાટ, રામ ઘાટ, ગંગેશ્વર ઘાટ અને ભારદ્વાજ ઘાટ પર અડધો કલાક સતત સફાઈ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે.

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમના જ્યુરી મેમ્બર પ્રવીણ પટેલની દેખરેખ હેઠળ આ નવો રેકોર્ડ બન્યો છે, જેમાં 300 થી વધુ સફાઈ કામદારોએ અડધા કલાક સુધી સતત એક શહેર અને નદીની સફાઈ કરી છે. આ પહેલા પ્રયાગરાજ મહાકુંભમાં આ અનોખો રેકોર્ડ વિશ્વમાં કોઈએ બનાવ્યો ન હતો.