
ધો.૧૨ સામાન્ય પ્રવાહના તત્વજ્ઞાન (૧૩૬) વિષયમાં કુલ ૭૩૨૧ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી
સાબરકાંઠા જિલ્લામાં બોર્ડની પરીક્ષાના દ્વીતીય દિવસે ધોરણ ૧૨માં સામાન્ય પ્રવાહના તત્વજ્ઞાન (૧૩૬) વિષયમાં કુલ ૭૪૪૧ વિધ્યાર્થીઓ પૈકી ૭૩૨૧ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જ્યારે ૧૨૦ વિધ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.જે પૈકી ૫૦ દિવ્યાંગ વિધ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જેમાં ગુજરાતી માધ્યમમાં કુલ ૭૨૯૪ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. કૃષિ વિધ્યા (૦૬૦) વિષયમાં કુલ ૫૧ વિધ્યાર્થીઓ પૈકી ૫૦ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેમાં એક વિધ્યાર્થી ગેરહાજર રહ્યો હતો. એમ જિલ્લા શિક્ષણાધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.