
ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ‘ઓપરેશન સિંદૂર’ લોન્ચ કર્યું છે, જે હેઠળ પાકિસ્તાન અને PoKમાં આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરવામાં આવી છે. ત્યારબાદ પણ પાકિસ્તાન પોતાની નાપાક હરકતો બંધ કરી રહ્યું નથી. એરસ્ટ્રાઈક બાદ, પાકિસ્તાને 2 વખત ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે અને દરેક વખતે ભારતની એર ડિફેન્સ સિસ્ટમે તેના મંશા પર પાણી ફેરવી દીધું. મીડિયા રિપોર્ટ મુજબ, ભારતીય સેનાએ પાકિસ્તાનના બે JF-17 અને એક F-16 ફાઇટર જેટને તોડી પાડ્યા છે.

ગુરુવારે રાત્રે, પાકિસ્તાને સરહદ નજીક ભારતીય લશ્કરી ઠેકાણાઓને નિશાનો બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. આ જવાબી કાર્યવાહીમાં, પાકિસ્તાનના લાહોર, કરાચી અને રાવલપિંડીમાં ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે અને પાકિસ્તાનને ખૂબ નુકસાન થયું છે. હવે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પોતાના જ દેશમાં ઘેરાતા નજરે પડી રહ્યા છે.
પાકિસ્તાની સાંસદ શાહીદ અહમદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ પાકિસ્તાન સરકાર અને શાહબાઝ શરીફને આડેહાથ લઈ રહ્યા છે. વીડિયોમાં શાહીદ અહમદ વડાપ્રધાન શાહબાઝને કાયર કહી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, આપણા વડાપ્રધાન એટલા કાયર છે કે તેઓ નરેન્દ્ર મોદીનું નામ પણ લઈ શકતા નથી. કોઈ દેશના નેતા કાયર હોય તો ત્યાંની સેના ક્યારેય યુદ્ધ જીતી શકતી નથી.

ભાજપના નેતા અમિત માલવિયાએ પણ આ વીડિયો પોસ્ટ કર્યો અને કહ્યું કે,’જ્યારે કોઈ પાકિસ્તાની સાંસદ પોતાના વડાપ્રધાનને કાયર કહે છે અને સ્વીકાર કરે છે કે તેઓ મોદીનું નામ લેતા ડરે છે, તો તે પોતાની જાતમાં જ બધી કહાની રજૂ કરે છે. તેમની સેનાનું મનોબળ તૂટી ચૂક્યું છે અને સરકાર દિશાહીન છે. ભારતના નિર્ણાયક વલણથી પાકિસ્તાનની નાકમાં દમ કરી દીધો છે.’

તમને જણાવી દઈએ કે, ગઈકાલે રાત્રે પાકિસ્તાને ડ્રોન અને ફાઇટર જેટ દ્વારા ભારતના ઘણા વિસ્તારોમાં હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પહેલાથી જ સતર્ક ભારતીય સેનાએ પાકિસ્તાનના હુમલાને ન માત્ર દરેક નિષ્ફળ કરી દીધા, પરંતુ જવાબી કાર્યવાહી કરતા પાકિસ્તાની શહેરોમાં ડ્રોન એટેક કરી દીધો. આ હુમલાઓમાં પાકિસ્તાનને મોટું નુકસાન થયું છે. ભારતીય સેનાએ લાહોરમાં ડ્રોન હુમલો કરીને પાકિસ્તાનની આખી એર ડિફેન્સ સિસ્ટમ તબાહ કરી દીધી છે.