fbpx

‘એક બદલો જે બાકી છે..’, આર્મી ચીફે બનાવી લીધો આગળનો પ્લાન, સુધરી જાય પાકિસ્તાન

Spread the love
‘એક બદલો જે બાકી છે..’, આર્મી ચીફે બનાવી લીધો આગળનો પ્લાન, સુધરી જાય પાકિસ્તાન

‘ઓપરેશન સિંદૂર’ બાદ પાકિસ્તાન બોખલાયેલું છે. પાકિસ્તાની સેના સીમા પારથી સતત ગોળીબારી કરી રહી છે. પાકિસ્તાની સેનાએ ભારત પર ઘાતક હુમલાની ધમકી આપી છે. આ દરમિયાન, ગુપ્તચર માહિતી મળી છે કે પાકિસ્તાન આગામી થોડા કલાકોમાં મોટો હુમલો કરવાનો પ્રયાસ કરી શકે છે. પરંતુ આ વખતે ભારત પૂરી તાકત અને રણનીતિ સાથે તૈયાર છે. આર્મી ચીફે પોતે આગળનો પ્લાન બનાવી લીધો છે, જે સ્પષ્ટ ઈશારો કરે છે કે બદલો બાકી છે.

Army-Commanders3

રક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી  પાકિસ્તાનની દરેક ગતિવિધિ પર નજર રાખી રહ્યા છે. તેઓ પાકિસ્તાની સેનાની ગતિવિધિઓ પર નજર રાખવા માટે સ્થાનિક એજન્સીઓ સાથે સતત સંપર્કમાં છે. સૈનિકોને સંપૂર્ણ ઓપરેશનલ ફ્રીડમ આપવામાં આવી છે જેથી પાકિસ્તાનની તોપો અને ગોળીબારીનો તાત્કાલિક અને યોગ્ય જવાબ આપી શકાય. ભારતીય સેના પણ તાત્કાલિક કાર્યવાહી કરી રહી છે. પાકિસ્તાનને તેનો અંદાજો થઈ રહ્યો હશે.

રક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાન નાગરિક વિસ્તારોને નિશાનો બનાવીને તોપોથી હુમલા કરી રહ્યું છે. ભારતીય સેના જવાબ આપવા માટે સંપૂર્ણપણે સક્ષમ અને સ્વતંત્ર છે. દુશ્મનને તેની દરેક હિમાકતનો એવો જવાબ આપવામાં આવશે કે તે આગામી વર્ષો સુધી યાદ રાખે. ભારત આ વખતે ન માત્ર જવાબ આપશે, પરંતુ એ પણ સુનિશ્ચિત કરશે કે દુશ્મન આગામી વખત હુમલો કરતા પહેલા સો વખત વિચારશે.

Army-Commanders1

પાકિસ્તાને આ ઉશ્કેરણીજનક કાર્યવાહી ભારતીય સેના દ્વારા પાક અધિકૃત કાશ્મીર (PoK)માં 5 આતંકવાદી ઠેકાણાઓ કરવામાં આવેલા સચોટ અને ઘાતક હુમલાઓ બાદ શરૂ કરી છે. આ હુમલાઓમાં, ત્રણેય સેનાઓના સંયુક્ત ઓપરેશનમાં 9 ટારગેટ તબાહ કરી દેવામાં આવ્યા. આ સ્થળોમાં બહાવલપુર, મુઝફ્ફરાબાદ, રાવલકોટ અને ચકવાલનો સમાવેશ થાય છે. ત્યારબાદ જ, પાકિસ્તાને નાગરિક લક્ષ્યો પર તોપમારો ચાલુ કરી દીધો છે.

error: Content is protected !!