fbpx

પ્રાંતિજ ના પોગલુ ખાતે રજતજ્યંતિ મહોત્સવ માં આયુર્વેદિક કેમ્પ ધારાસભ્યના હસ્તે ખુલ્લો મુકાયો

Spread the love

પ્રાંતિજ ના પોગલુ ખાતે રજતજ્યંતિ મહોત્સવ માં આયુર્વેદિક કેમ્પ ધારાસભ્યના હસ્તે ખુલ્લો મુકાયો
– કેમ્પ મા પોગલુ તેમજ આજુબાજુના ગ્રામજનોએ લાભ લીધો
– ધારાસભ્ય દ્રારા લોકોને આયુર્વેદિક દવાઓ લેવા માટે અપીલ કરી
         


સાબરકાંઠા જીલ્લા ના પ્રાંતિજ તાલુકાના પ્રસિદ્ધ વારાહી ધામ ખાતે ત્રિદ્રિવસ્ય રજતજ્યંતિ મહોત્સવ યોજાઈ રહ્યો છે જેમા આયુર્વેદિક કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ અને કેમ્પને પ્રાંતિજ તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્રારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો આમ તો વર્ષોથી લોકો આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે દેવો અને રૂષિઓ પણ આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરતા હતા ત્યારે લોકો પણ આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરે તે માટે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્રારા આ કેમ્પ ખુલ્લો મુકી લોકોને આયુર્વેદિક દવાઓ લેવા અપીલ કરી હતી તો ર્ડા કિરીટભાઇ પટેલ , ર્ડા.યતીનભાઇ જોષી , ર્ડા.કિંજલબેન , ર્ડા.નિતીબેન , ર્ડા.અંકિતાબેન દ્રારા કેમ્પ મા ડોક્ટરી સેવાઓ આપવામા આવી હતી તો આ કેમ્પ મા પોગલુ તેમજ આસપાસ ના ગ્રામજનોએ લાભ લીધો હતો

error: Content is protected !!