fbpx

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા…

Spread the love
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી બનાવવાની જાહેરાત કરી હતી. આ અંગે પૂર્વ CM અરવિંદ કેજરીવાલે નિવેદન આપ્યું હતું કે, મેયર ચૂંટણીના સમયે ભાજપે અમારા કોર્પોરેટરોને પોતાની તરફ લેવા માટે કોશિશ કરી હતી, દરેક કોર્પોરેટરને 5 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. ભાજપ પાસે સ્થાયી સમિતિ કે વોર્ડ સમિતિ બનાવવા માટે બહુમતિ નથી, એટલે તેઓ લોકોને ખરીદવાનો સહારો લઈ રહ્યા છે.

અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે, અમે મેયર ચૂંટણી દરમિયાન જ ભાજપના ખરીદ-વેચાણની કોશિશને ઉઘાડી પાડી દીધી હતી, એટલે હવે એ દેખાડો કરવાનું નાટક કરી રહી છે કે આ દલબદલુઓ બીજી પાર્ટીથી છે, પરંતુ કોઈ ભૂલ ન કરતા- આ શરૂઆતથી છેલ્લી સુધી ભાજપનું કામ છે અને આવનારા દિવસોમાં સત્ય બધાની સામે આવી જશે.

arvind

15 કોર્પોરેટરોએ રાજીનામું આપી નવી પાર્ટી બનાવી

દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ઝટકો લાગ્યો છે. AAP પાર્ટીમાં બે ફાડચા પડી ગયા છે. પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓએ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)માં અલગ પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે. એટલે કે MCDમાં ત્રીજો મોરચો રચાશે અને તેના નેતા મુકેશ ગોયલ હશે. રિપોર્ટ મુજબ આમ આદમી પાર્ટીના 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું પણ આપી દીધું છે. 

ગયા મહિને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મોટી ઉથલપાથલ જોવા મળી હતી. MCDની ચૂંટણીમાં ભાજપના કોર્પોરેટર રાજા ઇકબાલ સિંહ નવા મેયર બન્યા હતા. તેમને 153 મત મળ્યા. કોંગ્રેસના ઉમેદવાર મનદીપને માત્ર 8 મત મળ્યા. AAPએ મેયર ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો અને પોતાનો ઉમેદવાર પણ ઊભો રાખ્યો નહોતો. આ સમગ્ર ઘટના બાદ AAP નેતાઓમાં નારાજગી જોવા મળી રહી હતી.

photo_2025-05-17_14-32-10

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને MCDમાં ગૃહના ભૂતપૂર્વ નેતા મુકેશ ગોયલના નેતૃત્વમાં AAPમાં ભાગલા પડ્યા છે. ગોયલે જાહેરાત કરી કે તેમણે અને તેમના સમર્થક કોર્પોરેટરોએ હવે અલગ રસ્તો અપનાવવાનો નિર્ણય લીધો છે. આ નવી પાર્ટીનું નામ ‘ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટી’ રાખવામાં આવ્યું છે. 

મુકેશ ગોયલના મતે, આ નવા જૂથ સાથે 15 કોર્પોરેટરો છે, જેઓ હવે ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટીનો ભાગ બનશે. આ પગલું આમ આદમી પાર્ટી માટે એક મોટો રાજકીય પડકાર માનવામાં આવી રહ્યું છે. મુકેશ ગોયલ અને હેમચંદ ગોયલ સહિત ઘણા નેતાઓ અગાઉ કોંગ્રેસ પાર્ટીમાં રહી ચૂક્યા છે. છેલ્લી મ્યુનિસિપલ ચૂંટણી પહેલા આ લોકો કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. વિધાનસભા ચૂંટણીમાં આદર્શ નગર બેઠક પરથી મુકેશ ગોયલને આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ બનાવવામાં આવ્યા હતા.

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)માં આ નવી પાર્ટીની રચનાથી રાજકારણમાં નવો હલચલ મચી ગઈ છે. દિલ્હીમાં AAPના વર્ચસ્વને પડકારવા માટે આ જૂથનો ઉદભવ રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર લાવી શકે છે. આમ આદમી પાર્ટીનું વલણ આમ આદમી પાર્ટી તરફથી અત્યાર સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. જોકે પાર્ટીના આંતરિક સૂત્રો કહે છે કે પાર્ટી નેતૃત્વ આ બળવાથી ખૂબ નારાજ છે અને આ મામલાને ઉકેલવાના પ્રયાસો ચાલુ છે. ભવિષ્યની રણનીતિ શું હશે? ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટીની રચના પછી, આ નવું જૂથ MCDમાં પોતાની રાજકીય પકડ કેવી રીતે મજબૂત કરશે તે જોવું રસપ્રદ રહેશે. દિલ્હીના રાજકારણમાં આ નવા વળાંકે રાજકીય વિશ્લેષકોને પણ આશ્ચર્યચકિત કર્યા છે.

error: Content is protected !!