

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી નક્ષત્ર બેસી રહ્યું છે જેથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધશે અને તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
અંબાલાલ પટેલે khabbarchhe.Com સાથેની વાતમાં કહ્યું હતું કે,તાપમાન વધવાને કારણે કમોસમી વરસાદ પણ પડશે. તેમણે કહ્યું કે, 20-24મે વચ્ચ અરબી સમુદ્ધમાં એક વાવાઝોડું બનશે, જો આ વાવાઝોડું સૌરાષ્ટ્ર તરફ વળશે તો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. ઓમાન તરફ ફંટાઇ છે કે સૌરાષ્ટ્ર તરફ એ જ્યારે વાવાઝોડું નિકળશે ત્યારે ખબર પડશે.
પટેલે કહ્યું કે, 19મી મે પછી ભારત-પાકિસ્તાન વચ્ચેનો જે તણાવ છે તે ઓછો થઇ જશે, કારણકે શનિ અને રાહુનો સંયોગ છુટો પડી રહ્યો છે અને રાહુલ કુંભ રાશિમાં 19મીથી ભ્રમણ કરશે.