fbpx

જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીના નિર્ણય પાછળ ભાજપ સરકારનો ખેલ શું છે?

Spread the love
જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીના નિર્ણય પાછળ ભાજપ સરકારનો ખેલ શું છે?

બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો નિર્ણય લીધો હતો. કેન્દ્રીય મંત્રી અશ્વીની વૈષ્ણવે જાહેરાત કરી કે, સરકાર વસ્તી ગણતરીની સાથે જ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી પણ કરશે.

નવેમ્બર 2025માં એની શરૂઆત કરવામાં આવશે અને 2 વર્ષમાં પુરી કરવામાં આવશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઘણા સમયથી સરકાર પાસે જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરતા હતા. સવાલ એ છે કે અત્યારે દેશમાં યુદ્ધનો માહોલ છે એવા સમયે આવો નિર્ણય કેમ કરાયો?

જાણકારોના કહેવા મુજબ બિહારમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી આવે છે અને નીતિશ કુમાર પણ જાતિ આધારિત વસ્તી ગણતરીના માંગ કરતા હતા.

error: Content is protected !!