
-copy43.jpg?w=1110&ssl=1)
બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો નિર્ણય લીધો હતો. કેન્દ્રીય મંત્રી અશ્વીની વૈષ્ણવે જાહેરાત કરી કે, સરકાર વસ્તી ગણતરીની સાથે જ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી પણ કરશે.
નવેમ્બર 2025માં એની શરૂઆત કરવામાં આવશે અને 2 વર્ષમાં પુરી કરવામાં આવશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઘણા સમયથી સરકાર પાસે જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરતા હતા. સવાલ એ છે કે અત્યારે દેશમાં યુદ્ધનો માહોલ છે એવા સમયે આવો નિર્ણય કેમ કરાયો?
જાણકારોના કહેવા મુજબ બિહારમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી આવે છે અને નીતિશ કુમાર પણ જાતિ આધારિત વસ્તી ગણતરીના માંગ કરતા હતા.