

ગુજરાતનું ગોંડલ ફરી ચર્ચામાં આવી ગયું છે. સુરતના ભાજપના નેતા અલ્પેશ કથિરીયાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે.
સૌથી પહેલા અલ્પેશ કથિરિયાનું એક ટ્વીટ સામે આવ્યું, જેમાં તેમણે લખ્યુ કે, ગોંડલમાં મારી મુલાકાત વખતે મારી સાથે જોડાયેલા અને મંદિરે દર્શન કરવા આવેલા સમર્થકોને ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, બંગલેથી કોઇ બચાવવા નહીં આવશે. પોલીસને સુધારવાની અંતિમ તક.
વાયરલ થયેલા વીડિયોમાં કથિરિયાએ કહ્યું કે, ગોંડલમાં પોલીસ કોઇકના ઇશારે ખોટા કેસ કરી રહી છે. આ બાબતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવામાં આવી છે.ખાખીની આડમાં ખોટા કામ કરનારા પોલીસે ફળ ભોગવવા પડશે.