
-copy51.jpg?w=1110&ssl=1)
ગુજરાત સરકારે શનિવારે સવારે ડાયમંડ ઉદ્યોગ માટે એક આર્થિક પેકેજની જાહેરાત કરી અને તેમાં રત્નકલાકારો માટે અને નાના કારખાનેદારોને સહાય આપવાની વાત કરવામાં આવી. ડાયમંડ યુનિયન ગુજરાત વર્ષોથી રત્નકલાકારો માટે સરકાર પાસેથી પેકેજની માંગણી કરતું હતું.
ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે કહ્યુ કે, સરકારે પ્રયાસ કર્યો તે આવકાર્ય છે, પરંતુ આ આર્થિક પેકેજ લોલીપોપ જેવું સાબિત થશે. કારણકે ,સરકારે કહ્યું છે કે, સંપૂર્ણ બેરોજગાર હોય તેને જ પેકેજનો લાભ મળશે. તો રત્નકલાકારોની મુશ્કેલી એ છે કે એમના પગાર અને તેમને કામનું મહેનતાણું મોટા પાયે ઘટાડી દેવામાં આવ્યું છે, તો એવા રત્નકલાકારોના બાળકોની સ્કુલ ફીનું શું? સરકારે કીધું છે કે 3 વર્ષ જે કારખાનામાં કામ કર્યું તેના પુરાવા આપવા પડશે, તો ડાયમંડ કારખાના માલિકો લખી જ નહીં આપશે તો પેકેજ કેવી રીતે મળશે?