

ગુજરાત સરકારે તાજેતરમા ડાયમંડ ઉદ્યોગ માટે જે આર્થિક પેકેજની જાહેરાત કરી તેમાં કેટલાંક સુધારાની માંગ સાથે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર મોકલ્યો છે.ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે માંગ કરી છે કે, રત્નકલાકારોના સંતાનો માટે સરકારે જે સ્કુલફી મહત્તમ 13500 માફ કરવાની વાત કરી છે તેને બદલે સંપૂર્ણ ફી માફી આપવામાં આવે.
સરકારે આર્થિક પેકેજનો લાભ સંપૂર્ણ બેરોજગારને આપવાની વાત કરી છે તેની સાથે જે રત્નકલાકારોના પગાર અડધા થઇ ગયા છે તેમને અર્ધ બેરોજગાર ગણીને તેમના સંતાનોને પણ સ્કુલ ફી ભરવમાંથી રાહત આપવામાં આવે.
રત્નકલાકારો પાસે મહત્ત્વના પૂરાવાઓ હોતા નથી તો ફેકટરી માલિકો પાસેથી મજૂર કાયદાનું કડક પાલન કરાવવામાં આવે અને કમિટીમાં ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રતિનિધિને સામેલ કરવામાં આવે.