fbpx

સ્મૃતિ ઇરાની ફરી એક્ટીંગ તરફ વળ્યા, શું તેમણે રાજકારણ છોડી દીધું છે?

Spread the love
સ્મૃતિ ઇરાની ફરી એક્ટીંગ તરફ વળ્યા, શું તેમણે રાજકારણ છોડી દીધું છે?

વર્ષ 2000થી 2008 સુધી પ્રસારિત થયેલી અને લોકપ્રિય બનેલી સીરિયલ ક્યોંકી સાંસભી કભી બહું થીની સિઝન-2 શરૂ થવા જઇ રહી છે અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા સ્મૃતિ ઇરાનીએ શૂંટીગ શરૂ કરી દીધું હોવાનું જાણવા મળ્યું છે. સીરિયલ પ્રસારિત થવાની તારીખ હજુ સુધી જાહેર કરવામાં નથી આવી.

મીડિયા અહેવાલો મુજબ પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ  Z પ્લસ સિક્યોરીટીની સાથે સીરિયલનું શૂટીંગ શરૂ કરી દીધું છે. કડક પ્રોટોકોલનું પાલન કરવા માટે બધાના ફોન લઇ લેવામાં આવ્યા છે. ઇરાની ફરીથી એક્ટીંગ તરફ વળતા એવી ચર્ચા શરૂ થઇ છે કે શું તેમણે રાજકારણ છોડી દીધું છે? જો કે જાણકારોનું કહેવું છે કે, સ્મૃતિ પાસે અત્યારે કોઇ પોસ્ટ કે મંત્રાલય નથી એટલે તેમની પાસે સમય છે. બાકી રાજકારણ છોડે તેવી કોઇ શક્યતા નથી.

error: Content is protected !!