fbpx

વિસાવદરમાં દિગ્ગજ નેતાઓ રેસમાં હતા છતા ભાજપે કિરીટ પટેલને ટિકિટ કેમ આપી?

Spread the love
વિસાવદરમાં દિગ્ગજ નેતાઓ રેસમાં હતા છતા ભાજપે કિરીટ પટેલને ટિકિટ કેમ આપી?

વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ છે, કારણકે આ બેઠક પર 18 વર્ષથી ભાજપ જીતી શક્યું નથી. ગુજરાત વિધાનસભા 2022માં જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપમાં જોડાયા ત્યારે તેમને ટિકીટનું વચન અપાયું હતું, તેવી જ રીતે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા હર્ષદ રિબડીયા પણ આ વખતની ચૂંટણીના દાવેદાર હતા.

રાજકારણના જાણકારોના કહેવા મુજબ ભાજપે ક્લીયર કટ મેસેજ આપ્યો છે કે જુના ભાજપના લોકોને જ ટિકીટ મળશે. તાજેતરમાં ભાજપમાં ભારે આંતરીક અસંતોષ ઉભો થયો હતો કે આયાતી ઉમેદવારોને વધારે મહત્ત્વ મળી રહ્યું છે. આ અસંતોષ દુર કરવા માટે કિરીટ પટેલને ટિકીટ આપવામાં આવી છે. કિરિટ પટેલ શરૂઆતથી ભાજપ સાથે જોડાયેલા છે.

error: Content is protected !!