fbpx

વિસાવદરની પેટાચૂંટણીમાં પાટીદાર સામે પાટીદાર

Spread the love
વિસાવદરની પેટાચૂંટણીમાં પાટીદાર સામે પાટીદાર

ગુજરાત વિધાનસભા 2022માં વિસાવદરની બેઠક પરથી આમ આદમી પાર્ટીની ટિકીટ પરથી ચૂંટાયેલા ભૂપત ભાયાણી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા જેને કારણે આ બેઠક ખાલી પડી હતી.ચુંટણી પંચે 19 જૂને મતદાન અને 23 જૂને પરિણામની જાહેરાત કરેલી છે.

આમ આદમી પાર્ટીએ તો વિસાવદરની પેટા ચૂંટણીની જાહેરાત પહેલા જ ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા હતા. ભાજપે કિરીટ પટેલ અને કોંગ્રેસે નીતિન રાણપરીયાના પોતાના ઉમેદવાર જાહેર કર્યા. વિસાવદરની બેઠક પર પાટીદાર મતદારોનું વર્ચસ્વ હોવાને કારણે ત્રણેય પાર્ટીઓએ પાટીદાર ઉમેદવારોને ટિકીટ આપી છે.

કિરિટ પટેલ મુળ ભાજપના છે અને અત્યારે જુનાગઢમાં રહે છે, જ્યારે નીતિન રાણપરિયા ભેંસાણના છે અને કોંગ્રેસના સક્રીય કાર્યકર છે. ગોપાલ ઇટાલિયા એડવોકેટ છે અને મુળ બોટાદના છે, પરંતુ હાલ સુરતમા રહે છે.

error: Content is protected !!