fbpx

પ્રાંતિજ ના ગળતેશ્વર ખાતે આવેલ ગળતેશ્વર મહાદેવ મંદિર ના અસ્તિત્વ ઉપર ખતરો

Spread the love

સુપ્રસિદ્ધ મંદિર ગલતેશ્વર માત્ર નામ પુરતું જ નકશા રહશે
પ્રાંતિજ ના ગળતેશ્વર ખાતે આવેલ ગળતેશ્વર મહાદેવ મંદિર ના અસ્તિત્વ ઉપર ખતરો
– દર ચોમાસા મા મંદિર સંકુલ મા ધોવાણ થાય છે
– તંત્ર દ્રારા મંદિર અસ્તિત્વ ને ટકાવી રાખવા મોટી ગ્રાન્ટ ફાળવાય તેવી માંગ
– વર્ષો જુનુ મહાદેવ મંદિર ના અસ્તિત્વ ઉપર હાલતો ખતરો
               


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા ના ગળતેશ્વર ખાતે આવેલ સુપ્રસિદ્ધ ગળતેશ્વર મહાદેવ મંદિર ના અસ્તિત્વ ઉપર હાલતો ખતરો જોવા મળી રહ્યો છે છેલ્લા કેટલાય વર્ષોથી મંદિર ની બાજુ બાજુમાંથી મોટુ ધોવાણ થતા કોટ દિવાલો સહિત રૂમો ધરાશાયી થઈ છે તો મંદિર ના અસ્તિત્વ ને લઈ ને શીવ ભક્તો તથા ધર્મપ્રેમી લોકોમા ચિંન્તા


    પ્રાંતિજ થી સાત કિલો મીટરના અંતરે આવેલ ગળતેશ્વર ગામ ખાતે આવેલ અંતિ પ્રાચીન સુપ્રસિદ્ધ ગળતેશ્વર મહાદેવ મંદિર આવેલ છે જે મંદિર હાલ ચોમાસા દરમ્યાન મંદિર ની આજુબાજુ મોટા ભાગ નુ ધોવાણ થઈ રહ્યુ છે અને મંદિર આજુબાજુ બનેલ કોટ તથા રૂમો પણ દર વર્ષે ધરાશાયી થાય છે તો આમને આમ ધોવાણ થતા હાલતો મંદિર ના અસ્તિત્વ ઉપર ખતરો જોવા મળી રહ્યો છે ત્યારે મંદિર ખાતે શ્રાવણ માસ મા શિવભક્તો આવતા હોય છે અને અહી વર્ષથી શ્રાવણ માસમા છેલ્લા દિવસે અમાસ નો મેળો પણ ભરાય છે જેમા લાખ્ખો ની સંખ્યામા શ્રધ્ધાળુઓ દર્શન સાથે મેળા ની મજા માનતા હોય છે તો સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકા મા આ પૌરાણિક ગળતેશ્વર મહાદેવ મંદિર નો અનોખો મહિમા છે અંહી હજારો વર્ષ પહેલા કાઇના હોય અને એક ભરવાડ પોતાની ગાયો બકરીઓ ચરાવવા આ ટેકરી ઉપર આવતા હતો અને તેમાંથી એક ગાય અહી નદી કાંઠે આવેલ આ એક ટેકરી ઉપર બપોર ના સમયે ગાય પોતે આપ મેળે તેનુ દુધ દ્રારા અહી પોતે સેર કરી જળા અભિષેક કરી હોય તેના ગોવાળ ને આ વાત ની ખબર પડતા તેને ત્યા હાથે થી થોડુ ખોતરતા અંદર શિવલિંગ નિકળ્યુ હતુ તો જેતે સમયે આ શિવલિંગ મોટુ હોય પણ દિવસે ને દિવસે આ શિવલિંગ ગળતુ હોય જેથી વર્ષો પહેલાજ આ મહાદેવ મંદિર નુ નામ ગળતેશ્વર મહાદેવ પડયુ હતુ અને મંદિર ના નામ ઉપર થી ગામનુ નામ પણ ગળતેશ્વર પડયુ હતુ તો આ મંદિર મા અનેક વિધી લગતી પુજાઓ પણ થતી હોય છે અને લોકો અહી દોષ મુક્ત થવા અહી પુજા વિધી કરાવવા દુરદુર થી આવતા હોય છે તો ધોવાણ થતા આ મંદિર ને બચાવવા સરકાર તંત્ર દ્રારા મોટી ગ્રાન્ટ ફાળવી આ પૌરાણિક પ્રાંચિન મંદિર ને ધરોહર ને સાચવી લેવામા આવે તેવુ શિવભકતો ધર્મ પ્રેમી લોકો જણાવી રહ્યા છે
   

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!