
પ્રાંતિજ ખાતે વિધાર્થીઓને ચોપડાનુ વિતરણ કરવામા આવ્યુ
– ધોરણ ૧ થી ૧૨ ના વિધાર્થીઓને ચોપડાનુ વિતરણ કરવામા આવ્યુ
– પ્રમુખ-મંત્રી સભ્યો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે બાવન પરગણા સાત ગામના ગુરૂ બ્રાહ્મણ સમાજ તથા શ્રી નિજાનંદ કેળવણી મંડળ ના સહયોગ થી સમાજના વિધાર્થીઓને ચોપડાનુ વિતરણ કરવામા આવ્યુ

પ્રાંતિજ ભાંખરીયા બસસ્ટેશન પાસે આવેલ બાબાસાહેબ આંબેડકર શોપિંગ સેન્ટર ખાતે બાવન પરગણા સાત ગામના ગુરૂ બ્રાહ્મણ સમાજ તથા શ્રી નિજાનંદ કેળવણી મંડળ તરફથી ધોરણ ૧થી ૧૨ મા અભ્યાસ કરતા સમાજ ના વિધાર્થીઓને દાતા શ્રીમળી પ્રશાંત કુમાર અંબાલાલ પ્રાંતિજ વાળા તરફથી ચોપડા , નોટો , પ્રેન્શીલ , કંપાસ નુ વિતરણ કરવામા આવ્યુ હતુ તો આ કાર્યક્રમ મા પ્રાંતિજ ૧,૨ ,ઓરાણ ૧,૨ નિકોડા ના આગેવોનો તથા દરેક ગામના સભ્યો હાજર રહ્યા હતા તો આ પ્રસંગે સમાજ ના પ્રમુખ મનુભાઇ પંડયા , મંત્રી મહેશભાઇ પંડ્યા તથા સુરેશભાઇ પંડયા , બીપીનભાઈ , મહેન્દ્ર ભાઇ પંડયા સહિત સભ્યો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા