

રાજા રઘુવંશીની હત્યાના કેસ અત્યારે આખા દેશમાં ચર્ચાનો વિષય છે. રાજાની હત્યા પત્ની સોનમ અને અન્ય આરોપીઓ દ્વારા યોજનાબદ્ધ રીતે કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. પોલીસે સોનમ અને અને અન્ય 3 આરોપીઓની ધરપકડ કરી છે.
ઇંદોરમાં રહેતા રાજા રઘુવંશી, જે ટ્રાન્સન્પોર્ટના બિઝનેસની સાથે સંકળાયેલા હતા. તેમના 11 મે 2025ના દિનસે ઇંદોરની સોનમ સાથે લગ્ન થયા હતા. લગ્નના 9 દિવસ પછી કપલ હનીમૂન માટે મેઘાલયના શિલોંગ ગયું હતું,
રાજા અને સોનમ ભાડાની સ્કુટી પર ફરવા ગયા પછી ગુમ થઇ ગયા હતા. 2 જૂને રાજાની લાશ મળી, પરંતુ સોનમનો પત્તો નહોતો. પોલીસે તપાસ કરી તો ખબર પડી કે રાજા રઘુવંશીની હત્યાની યોજના સોનમે જ બનાવી હતી અને 20 લાખની સોપારી આપી હતી.સોનમને રાજ કુશવાહ નામના યુવક જે સોનમના પિતાને ત્યારે નોકરી કરતો હતો તેની સાથે પ્રેમ હતો. સોનમને પોલીસે ઉત્તર પ્રદેશમાંથી પકડી લીધી છે.