fbpx

પાટીદારોના કાર્યક્રમમાં ગોપાલ ઇટાલિયા ભાજપના નેતાને પગે પડ્યા

Spread the love
પાટીદારોના કાર્યક્રમમાં ગોપાલ ઇટાલિયા ભાજપના નેતાને પગે પડ્યા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટી (AAP) ખૂબ અપેક્ષાઓ સાથે મેદાનમાં ઉતરી હતી. આ પહેલી વખત હતું જ્યારે આમ આદમી પાર્ટી તમામ સીટો પર ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી, પરંતુ આ ચૂંટણીમાં પાર્ટીનું કંઈ ખાસ પ્રદર્શન ન રહ્યું. પહેલી જ ચૂંટણીમાં AAPના 5 ઉમેદવારો ચૂંટાઈને ધારાસભ્ય બન્યા, ત્યારથી લગભગ AAP બેકફૂટ પર હોય તેમ લાગી રહ્યું હતું કેમ કે AAPના મોટા ચહેરા ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી તેમની સીટ હારી ગયા હતા. પાછળથી 2 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું.

Gopal1

ત્યારબાદ હાલમાં જ વિસાવદર અને કઢી સીટ પર થયેલી પેટાચૂંટણીમાં ગોપાલે વિસાવદરથી ઉમેદવારી નોંધાવીને જીત હાંસલ કરતા તેમણે ગુજરાતમાં AAP માટે આશાનું નવું કિરણ જગાવ્યું હતું. ગોપાલ ઈટાલિયાએ વિસાવદરનો કિલ્લો જીત્યો ત્યારે સૌથી વધુ ચર્ચા જવાહર ચાવડાની થઈ હતી. કારણ કે પોતાની જીતમાં ગોપાલ ઈટાલિયાએ જય જવાહર ચાવડાની બોલાવી હતી. આવામાં ગોપાલ ઈટાલિયાએ એક કાંકરે 2 પક્ષી માર્યા હોવાની ચર્ચા થઈ હતી.

Gopal

ગોપાલ ઈટાલિયા પણ સતત એવું કામ કરતા રહે છે જેના કારણે તેઓ ચર્ચામાં બન્યા રહે છે. હવે તેઓ વધુ એક વખત ચર્ચામાં આવ્યા છે, જેનું કારણ છે સરદારધામના કાર્યક્રમમાં ગોપાલ ઈટાલિયા ભાજપના નેતા બાબૂ પટેલને પગે લાગતા જોવા મળ્યા હતા. જાહેરમાં ભાજપના નેતાને પગે લાગીને ગોપાલ ઈટાલિયા ફરીથી છવાઈ ગયા. એટલું જ નહીં, કાર્યક્રમમાં તેઓ ભાજપના અન્ય નેતા કિરીટ પટેલ પાસે જઇને બેસી ગયા હતા. આ ઘટનાની રાજનીતિક દુનિયામાં ભારે ચર્ચા થઈ રહી છે.

error: Content is protected !!