

સહકારી આગેવાન, ભાજપના દિગ્ગજ નેતા અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળી આવ્યા અને એ તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થવાને કારણે ચર્ચા શરૂ થઇ છે કે આગામી મંત્રી મંડળના વિસ્તરણમાં જયેશ રાદડીયાને મોટું પદ મળી શકે છે.
ગુજરાતના પૂર્વ મંત્રી જયેશ રાદડીયાને ગ્રાઉન્ડ લેવલના નેતા માનવામાં આવે છે અને ખેડુત સમાજ પર તેમનું વર્ચસ્વ છે. તાજેતરમાં વિસાવદરની પેટા ચૂંટણીની જવાબદારી રાદડીયાને સોંપવમાં આવી હતી, પરંતુ આ બેઠક ભાજપે ગુમાવવાનો વારો આવ્યો હતો. તે વખતે એવું મનાતું હતું કે, જયેશ રાદડીયાનું પત્તું કપાઇ શકે છે. પરંતુ અમિત શાહ સાથેની મુલાકાત પછી રાદડીયાના મંત્રી બનવાના ચાન્સ વધી ગયા હોવાનું ચર્ચામાં છે.