
બિહારમાં તાજેતરમાં ઇન્ડિયા ગંઠબંધનના સ્ટેજ પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દિવગંત માતા માટે જે અપશબ્દોનો પ્રયોગ થયો ત્યારે દેશભરના લોકો નારાજ થયા, પ્રધાનમંત્રી મોદીએ પણ આ વાતે દુખ વ્યક્ત કર્યું, પરંતુ લાગે છે કે ગુજરાતના આઇટી સેલે નાદારી નોંધાવી દીધી છે અથવા આઇટી સેલના માણસો ગોદડા ઓઢીને સુઇ ગયા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા સામે અભદ્ર ટીપ્પણી પછી ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે એ ટીપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો, પરંતુ તેના પર 99 ટકા લોકોએ નેગેટીવ કોમેન્ટ કરી છે. ભાજપના બીજા નેતાઓએ પણ વીડિયો શેર કર્યો અને તેમની વોલ પર પણ નેગેટીવ કમેન્ટ આવી છે. છતા ગુજરાત ભાજપના આઇટી સેલે કોઇ કાઉન્ટર કર્યું નથી.