fbpx

સુદર્શન રેડ્ડીની હાર! જાણો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોને નૈતિક જીત કેમ ગણાવી રહ્યું છે વિપક્ષ

Spread the love
સુદર્શન રેડ્ડીની હાર! જાણો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોને નૈતિક જીત કેમ ગણાવી રહ્યું છે વિપક્ષ

ભારતના બીજા સર્વોચ્ચ બંધારણીય પદ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં લગભગ 98.2 ટકા મતદાન થયું. સાંસદો મતદાન કરવા માટે લાઇનમાં ઉભા હતા અને મતદાન એજન્ટ સુનિશ્ચિત કરી રહ્યા હતા કે બધા સભ્યો મતદાન કરે. આ સમગ્ર ચૂંટણી માહોલની પૂર્ણાહુતિ ત્યારે થઈ, જ્યારે NDAના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન પ્રચંડ બહુમતીથી જીતી ગયા અને દેશના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા. તેમણે વિપક્ષી INDIA બ્લોકના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 મતોથી હરાવ્યા.

ચૂંટણી પંચ અનુસાર, સંસદની કુલ 788 સીટોમાંથી 7 ખાલી હતી, આમ 781 સાંસદો મતદાન કરવા માટે લાયક હતા. તેમાંથી 767 સાંસદોએ મતદાન કર્યું અને 752 મત માન્ય જાહેર થયા. રાધાકૃષ્ણનને 452 મત મળ્યા, જ્યારે રેડ્ડીને 300 મત મળ્યા. વિપક્ષનો દાવો છે કે તેના તમામ 315 સાંસદોએ મતદાન કર્યું, પરંતુ ગણતરીમાં 15 મતોના અભાવે ક્રોસ વોટિંગની અટકળોને વેગ આપ્યો.

Jairam-Ramesh

પરિણામો બાદ બંને પક્ષ પોત-પોતાની રીતે જીતનો દાવો કરતા જોવા મળ્યા. કોંગ્રેસના નેતા જયરામ રમેશે X પર લખ્યું કે, વિપક્ષનો 40% વોટ શેર એક નૈતિક જીત છે, જે 2022 કરતા 14% વધુ છે, જ્યારે NDAના ઉમેદવાર જગદીપ ધનખડે વિપક્ષના માર્ગારેટ આલ્વાને હરાવ્યા હતા.

તો NDAના નેતાઓએ ક્રોસ વોટિંગ અને અમાન્ય મતોનો મુદ્દો ઉઠાવ્યો. શિવસેનાના સાંસદ નરેશ મહાસ્કેએ કહ્યું કે, મહારાષ્ટ્રના કેટલાક વિપક્ષી સાંસદોએ NDAના ઉમેદવારને મત આપ્યા. ભાજપના સાંસદ સંજય જાયસ્વાલે દાવો કર્યો કે 14 વિપક્ષી સાંસદોએ પક્ષ બદલીને NDAને મત આપ્યા, જ્યારે 15એ જાણી જોઈને પોતાના મતોને અમાન્ય કરી દીધા. તેમણે કહ્યું કે, ‘રાહુલ ગાંધીની અંતરાત્મા કામ ન આવી. તે NDAની તરફેણમાં જતી રહી અને તેમનું ખોટું નેરેટિવ તૂટી ગયું.’ બીજી તરફ કોંગ્રેસના સાંસદ નાસિર હુસૈને કહ્યું કે, INDIA બ્લોકના 12 મત અમાન્ય મળ્યા, જ્યારે NDAના 3 મત અમાન્ય. જેના કારણે એવી બહેસ શરૂ થઈ કે જો NDAના અમાન્ય મતોને પણ સામેલ કરવામાં આવે તો વિપક્ષના ક્રોસ-વોટિંગનો આંકડો 17 સુધી પહોંચી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનો દિવસ સામાન્ય ચૂંટણી જેટલો જ ઉત્સાહી હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે 10:00 વાગ્યે પહેલા મતદાન કર્યું. ત્યારબાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ અને વિપક્ષી નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે મતદાન કર્યું.

Radhakrishnan

મતદાન કરવા માટે સાંસદોએ લાંબી લાઇનમાં ઊભા રહેવું પડ્યું અને ઘણા નેતાઓએ 90 મિનિટ સુધી રાહ જોઈ હોવાની વાત કહી. પ્રિયંકા ગાંધી, ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદી અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ કહ્યું કે તેમણે લગભગ દોઢ કલાક લાઇનમાં રાહ જોયા બાદ મતદાન કર્યું. બપોર સુધીમાં 715 સાંસદોએ મતદાન કર્યું હતું અને મતદાન સાંજે 05:00 વાગ્યે પૂર્ણ થયું. કુલ 782 સાંસદોમાંથી 768 સાંસદોએ મતદાન કર્યું. બીજુ જનતા દળ (BJD) અને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) મતદાનથી દૂર રહ્યા.

આ ચૂંટણીમાં સાંસદોની ઉચ્ચ સ્તરીય ભાગીદારી દર્શાવે છે. સાથે જ તેણે સંસદમાં લોકશાહી પ્રક્રિયાની જીવંતતા અને ચૂંટણી બાદ ઊભી થયેલી રાજકીય ઉથલપાથલને પણ ઉજાગર કરી, જેમાં ક્રોસ વોટિંગ અને અમાન્ય મતપત્રો ચર્ચાના મુખ્ય વિષય બન્યા.

error: Content is protected !!