fbpx

કલેક્ટર હોય તો આવા, જેમના ટ્રાન્સફરથી જનતાની આંખો ભીની થઈ ગઈ, ભવ્ય વિદાઈ આપી, પિતા છે ફાઇટર પાયલટ, માતા IAFમાં ડૉક્ટર, પતિ IPS

Spread the love
કલેક્ટર હોય તો આવા, જેમના ટ્રાન્સફરથી જનતાની આંખો ભીની થઈ ગઈ, ભવ્ય વિદાઈ આપી, પિતા છે ફાઇટર પાયલટ, માતા IAFમાં ડૉક્ટર, પતિ IPS

IAS સંસ્કૃતિ જૈન એક એવું નામ છે, જેને આખી દુનિયા ગુગલ કરી રહી છે. પાલખીમાં બેઠા સંસ્કૃતિ જૈનના વિદાયનો વીડિયો જોઈને દરેકની આંખો ભીની થઈ ગઈ છે. તેમના સ્ટાફ અને અધિકારીઓ, તેમને પાલખીમાં લઈ જઈ રહ્યા હતા, તેમણે તેમની બે પુત્રીઓ સાથે તેમને વિદાય આપી. હાલમાં, IAS સંસ્કૃતિ જૈનને ભોપાલ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સંસ્કૃતિ જૈનની UPSCની કહાની ન માત્ર પ્રેરણાદાયક છે, પરંતુ દરેક યુવાની અંદર કંઈક પ્રાપ્ત કરવાની ઇચ્છા પણ જાગૃત કરે છે.

IAS સંસ્કૃતિ જૈનનો જન્મ 14 ફેબ્રુઆરી 1989ના રોજ શ્રીનગરમાં થયો હતો. જોકે, તેમણે દેશભરના વિવિધ રાજ્યોમાં પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું છે. અહેવાલો અનુસાર, સંસ્કૃતિએ ગોવાથી સ્નાતક પૂર્ણ કર્યું હતું અને ઉચ્ચ અભ્યાસ માટે LAMP માંથી ફેલોશિપ પણ મેળવી હતી. સંસ્કૃતિ જૈનના માતા-પિતા બંને ભારતીય વાયુસેનામાં હતા. તેમના પિતા ફાયટર પાઇલટ હતા અને તેમના માતા મેડિકલ વિભાગમાં હતી. આમ છતા સંસ્કૃતિએ ક્યારેય UPSC, IAS, IPS અથવા સિવિલ સર્વિસ વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કર્યું નહોતું. તેમની ઇચ્છા P.hd કરવાની હતી અને કદાચ અહીંથી જ સંસ્કૃતિ જૈનની IAS અધિકારી બનવાની કહાની શરૂ થાય છે.

Sanskriti Jain

Ph.d કરવાની ઇચ્છા ધરાવતા સંસ્કૃતિ જૈનને તેમના મિત્રોએ UPSC પરીક્ષા પાસ કરવાની વાત કહી. મનમાં થોડી શંકા હતી, પરંતુ તેમના મિત્રો પર વિશ્વાસ કરીને તેમણે મજાક મજાકમાં UPSC પરીક્ષા આપી અને પાસ પણ થઈ ગયા. પરીક્ષા પાસ કર્યા બાદ તેમની આશાઓ જાગી અને તેમણે IAS અધિકારી બનવાનો નિર્ણય લીધો. બીજા પ્રયાસમાં IRS અધિકારી અને ત્રીજા પ્રયાસમાં ઓલ ઈન્ડિયા રેન્ક 11 મેળવીને IAS બની ગયા. સંસ્કૃતિની આ કહાની સ્પષ્ટપણે દર્શાવે છે કે જો તમારી પાસે કંઈક મોટું કરવાનો અને તમારા સપના પ્રાપ્ત કરવાનો દૃઢ નિશ્ચય હોય, તો રસ્તાઓ આપમેળે બની જાય છે.

2015 બેચના IAS અધિકારી સંસ્કૃતિ જૈનને મધ્ય પ્રદેશ કેડર મળ્યું હતું. ભોપાલ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર બનતા પહેલા તેમણે સિવની જિલ્લાના કલેક્ટર તરીકે સેવા આપી હતી. તેમના કાર્યકાળ દરમિયાન, સંસ્કૃતિ જૈને રેવા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર, સતનાના એડિશનલ કલેક્ટર, મઉગંજના SDM અને અલીરાજપુરમના જિલ્લા પંચાયત CEOનો પડભર સાંભળી ચૂક્યા છે.

Sanskriti Jain

IAS સંસ્કૃતિ જૈનના પતિ આશુતોષ સિંહ, પણ એક IPS અધિકારી છે. આશુતોષ 2014 બેચના IPS અધિકારી છે. બંને લબાસાનામાં તાલીમ દરમિયાન મળ્યા હતા, ત્યારબાદ તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો. આજે આ દંપતીને બે પુત્રીઓ છે. સંસ્કૃતિ જૈન સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય રહે છે. તેઓ ઇન્સ્ટાગ્રામ પર તેમની જિંદગી સાથે જોડાયેલી ઘણી ક્ષણો પોસ્ટ કરે છે. તેમનો ઇન્સ્ટાગ્રામ બાયો, ‘પાર્ટ-ટાઇમ IAS, પાર્ટ-ટાઇમ મોમ’, એ દર્શાવે છે કે તે માત્ર એક કર્મઠ અધિકારી હોવા સાથે એક જવાબદાર માતા પણ છે.

error: Content is protected !!