fbpx

રાજકોટ ભાજપના નેતાઓની દિવાળી બગડી, 53 વર્ષમાં પહેલીવાર મંત્રીમંડળમાં શૂન્ય 

Spread the love

રાજકોટ ભાજપના નેતાઓની દિવાળી બગડી, 53 વર્ષમાં પહેલીવાર મંત્રીમંડળમાં શૂન્ય 

રાજકોટને ઘણીવાર લોકો ગુજરાતના રાજકારણનું એક કેન્દ્ર કહેતા હોય છે. કારણ કે ત્યાંથી ઘણા મોટા નેતાઓ અને મુખ્યમંત્રીઓ ગુજરાતને મળ્યા છે પરંતુ 53 વર્ષમાં પહેલી વાર રાજકોટને રાજ્ય મંત્રીમંડળમાં કોઈ પ્રતિનિધિત્વ મળ્યું નથી. 1972થી અત્યાર સુધી રાજકોટમાંથી હંમેશા ઓછામાં ઓછા એક મંત્રી રહ્યા છે, પણ આ વખતે એ પરંપરા તૂટી ગઈ છે.

રાજકોટ ગુજરાતનું ઝડપથી વિકસતું ઔદ્યોગિક અને રાજકીય રીતે મહત્વનું શહેર છે. અહીંથી ઘણા જાણીતા નેતાઓ બહાર આવ્યા છે. સૌથી પહેલા કેશુભાઇ પટેલ રાજકોટની સુધરાઇથી આગળ આવીને મુખ્યમંત્રી બનેલા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ પણ પોતાની પહેલી ચૂંટણી રાજકોટની બેઠક પરથી લડી હતી. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રાજકોટ વેસ્ટમાંથી જીત મેળવી હતી. આમ ભાજપમાંથી ત્રણ-ત્રણ મુખ્યપ્રધાનો રાજકોટથી આવ્યા હતા. આ ઉપરાંત મોટા નેતાઓમાં વજુભાઇ વાળાથી લઇને ઘણાને ગણાવી શકાય. 

3

ગયા મંત્રિમંડળમાં રાજકોટની ધારાસભ્ય ભાણુબેન બબારિયા સમાજ ન્યાય અને સશક્તિકરણ વિભાગ સંભાળતા હતા. આ વખતે ઘણા લોકોને આશા હતી કે ડૉ. દર્શિતા શાહ, જે યુવાન અને લોકપ્રિય છે તથા ત્રણ પેઢીથી આરએસએસ સાથે જોડાયેલા પરિવારમાંથી આવે છે, તેમને મંત્રીપદ મળશે. પરંતુ આ વખતે ત્રણ અન્ય મહિલાઓને સ્થાન મળ્યું છે, અને જૈન સમુદાયના હર્ષ સંઘવીને પ્રમોશન મળવાથી ડૉ. શાહની સંભાવના ઘટી ગઈ.

ઉદય કાનગડને પણ મંત્રિમંડળમાં સ્થાન મળે એવી અપેક્ષા હતી, પરંતુ હવે માનવામાં આવે છે કે તેમને ભાજપના સંગઠનમાં મોટું પદ મળશે.

02

નવી મંત્રિસભામાં કુલ 26 મંત્રી છે, જેમાંથી 9 સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના છે, છતાં પણ રાજકોટને સ્થાન મળ્યું નથી. ઘણા લોકોનું માનવું છે કે આ નિર્ણય રાજકીય સંતુલન અને સમુદાય પ્રતિનિધિત્વ ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

આ નિર્ણયથી રાજકોટના રાજકીય વર્ગમાં થોડું નિરાશાનું વાતાવરણ છે, કારણ કે શહેર હંમેશા ગુજરાતની રાજનીતિમાં મહત્વની ભૂમિકા ભજવતું આવ્યું છે.

error: Content is protected !!