fbpx

રાદડીયા, અલ્પેશ, હાર્દિક, શંકર ચૌધરીની બાદબાકી, ભાજપનું ગણિત સમજો

Spread the love
રાદડીયા, અલ્પેશ, હાર્દિક, શંકર ચૌધરીની બાદબાકી, ભાજપનું ગણિત સમજો

ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં જયેશ રાદડીયા, અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને શંકર ચૌધરીના નામ જોર શોરથી ચાલતા હતા તો પછી નવા મંત્રી મંડળમાં આ લોકોના બાદબાકી કેમ થઇ ગઇ? એવો સવાલ બધાના મનમાં થાય છે.

જયેશ રાદ઼ડીયાને મંત્રી મંડળમાં ન લેવા પાછળનું કારણ મેન્ડેન્ટની અવગણના, ખોડલધામ ચેરમેન નરેશ પટેલ સાથેનો વિવાદ અને વિસાવદરની પેટા ચૂંટણીમાં ભાજપની હાર કારણભૂત છે.

અલ્પેશ ઠાકોર મુળ કોંગ્રેસના છે અને  મંત્રી મંડળમાં અર્જૂન મોઢવાડિયાને સ્થાન મળ્યું અને કુંવરજી બાવળિયાને યથાવત રખાયા એટલે વધારે કોંગ્રેસીઓને સ્થાન આપીને ભાજપ જોખમ લેવા નહોતું માંગતું.

હાર્દિક પટેલને તેનો સ્વભાવ નડી ગયો. પોતાની જ સરકારને ચીમકી આપવાનું ભારે પડી ગયું. શંકર ચૌધરી વિધાનસભા અધ્યક્ષ તરીકે શ્રેષ્ઠ રહ્યા છે એટલે તેમને ભાજપ યથાવત રાખવા માંગે છે.

error: Content is protected !!