
બિહારમાં ભાજપને બમ્પર જીત મળ્યા પછી હવે પાર્ટીમાં સાફ સફાઇ શરૂ કરી દેવામાં આવી છે. બિહાર ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી આર.કે. સિંહ નેતાઓને ભાજપે 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. જો કે તેમને શો-કોઝ નોટીસ આપીને 7 દિવસમાં જવાબ આપવા માટે કહેવાયું છે.
ભાજપ ચૂંટણી પુરી થાય તેની રાહ જોઇ રહ્યું હતું. જેવી ચૂંટણી પુરી થઇ એટલે આર. કે. સિંહ, અશોક અગ્રવાલ અને ઉષા અગ્રવાલને સસ્પેન્ડ કરી દેવાયા છે.
એ. કે.સિંહ કેન્દ્રીય મંત્રી હતી અને તેમણે અદાણીના એક પાવર પ્લાન્ટમાં સરકાર વધારે પૈસા આપી રહી છે અને 62000 કરોડનો સરકારને ચૂનો લાગશે તેવો આરોપ લગાવ્યો હતો. ઉપરાતં બિહારના નાયબ મુખ્યમંત્રીઓ સામે પણ આર.કે. સિંહ બેફામ બોલતા હતા.
