
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ સત્રના મૂલ્યાંકન માટે આ બેઠક હતી, પરંતુ થિરુવંતપુરમથી કોંગ્રેસના સાંસદ શશી શરૂર આ બેઠકમાં હાજર નહોતા રહ્યા. આ ત્રીજી વખત બન્યું જ્યારે થરૂર મહત્ત્વની બેઠકમાં ગેરહાજર રહ્યા.
રાહુલ ગાંધીની SIRના મુદ્દા બોલાવવામાં આવેલી બેઠકમાં શશી શરૂર સૌથી પહેલા ગેરહાજર રહ્યા હતા. બીજી બેઠક શિયાળુ સત્ર પહેલા સોનિયા ગાંધીના નિવાસ સ્થાને બેઠક મળી હતી, તેમાં પણ શરૂર ગેરહાજર રહ્યા હતા અને ત્રીજી વખત 12 ડિસેમ્બરની બેઠકમાં પણ ગેરહાજર રહ્યા.
સતત 3 બેઠકોથી ગેરહાજર રહેવાને કારણે રાજકારણમાં ચર્ચા શરૂ થઇ છે કે શું થરૂર ખરેખર કોંગ્રેસ પાર્ટીથી નારાજ છે?
