fbpx

મજૂરી કરીને ચાલે છે ગુજરાન, આવકવેરા વિભાગે 7 કરોડ રૂપિયાથી વધુની વેરાની નોટિસ ફટકારી

Spread the love

મજૂરી કરીને ચાલે છે ગુજરાન, આવકવેરા વિભાગે 7 કરોડ રૂપિયાથી વધુની વેરાની નોટિસ ફટકારી

ઉત્તર પ્રદેશના હરદોઈમાં એક ગરીબ મજૂરને આવકવેરા વિભાગે 7 કરોડ રૂપિયાની વસૂલાતની નોટિસ મોકલી છે. હેરાનીની વાત એ છે કે, મજૂરના ઘરમાં એક મહિનાનું ભોજન પણ મુશ્કેલથી જમા થાય છે. હવે, આ 7 કરોડ રૂપિયાની વસૂલાતની નોટિસથી તેના આખા પરિવાર પર મુશ્કેલીનો પહાડ તૂટી પડ્યો છે. મજૂર હવે અધિકારીઓથી લઈને કોર્ટ સુધી દોડવા મજબૂર છે.

આજ તકના અહેવાલ મુજબ, આ મામલો હરદોઈના માધોગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રૂદામઉ ગામનો છે. અહીના રહેવાસી ગોવિંદ કુમાર મજૂર તરીકે કામ કરીને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તાજેતરમાં જ તેને આવકવેરાની નોટિસ મળી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેના પર 7 કરોડ રૂપિયાનો કર બાકી છે. નોટિસ જોઈને ગોવિંદ અને તેમના આખા પરિવારના પગ નીચેથી જમીન  સરકી ગઈ.

પરિવારનું કહેવું છે કે, એક મજૂર પાસે 7 કરોડ રૂપિયા ક્યાંથી આવશે? બીજી તરફ, ગોવિંદને તેની સાથે છેતરપિંડી થવાની શંકા છે. તેણે જણાવ્યું હતું કે 6 વર્ષ પહેલાં, તે કામની શોધમાં કાનપુર ગયો હતો. એક મહિલાએ સરકારી સહાયનું વચન આપીને તેને છેતર્યો. તે તેને સીતાપુર લઈ ગઈ, જ્યાં તેનું બેંક ખાતું ખોલાવવામાં આવ્યું હતું. બદલામાં તેને બે થી ત્રણ હજાર રૂપિયા આપવામાં આવ્યા, પરંતુ તેની ચેકબુક લઈ લેવામાં આવી હતી.

Income-tax1

હવે, ગોવિંદનું માનવું છે કે આ ખાતું છેતરપિંડી માટે ઉપયોગમાં લેવાયું હશે. એવી શંકા છે કે ગોવિંદના ખાતાનો ઉપયોગ કરીને નકલી કંપનીઓ બનાવવામાં આવી હશે, અને તેના દ્વારા લાખો અને કરોડોના વ્યવહારો કરવામાં આવ્યા હશે. આવકવેરા વિભાગની ટીમે ગોવિંદને જૂની નોટિસો અને બેંક વ્યવહારોની વિગતો બતાવી. આ બધું જોઈને, ગોવિંદને પોતાની આંખો પર જ વિશ્વાસ ન થયો. હવે, ગોવિંદ સમગ્ર મામલામાં પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે અધિકારીઓને અપીલ કરવાની તૈયારી કરી રહ્યો છે. આજ તકના અહેવાલ મુજબ તેણે કહ્યું કે, ‘મારી સાથે છેતરપિંડી થઈ છે. પૈસાના ચક્કરમાં મારું રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. કાનપુરમાં કામ કરવા ગયો હતો અને એક ખાતું ખોલાવવામાં આવ્યું હતું. ત્યાં મારી સાથે છેતરપિંડી થઈ છે. હવે હું કેપ્ટન જીને મદદ કરવા અને માનનીય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જીને થોડી મદદ કરવા અપીલ કરવા માંગુ છું. હું ખૂબ ગરીબ વ્યક્તિ છું. મહેનત મજૂરી કરું છું અને મારી પાસે કંઈ નથી. જે કહો કે હું આટલી લેવડ-દેવડ કેવી રીતે કરી શકું છું. જે કઈ છે, મારી પાસે આટલું જ છે.

Income-tax2

ગોવિંદના વૃદ્ધ માતા-પિતા પણ આ નોટિસથી ખૂબ જ પરેશાન છે. તેમનું કહેવું છે કે, ‘અમારો દીકરો મજૂરી કરે છે, અમારી પાસે ખેતી કરવા માટે કોઈ જમીન પણ નથી. અમે આટલા પૈસા ક્યાંથી લાવીશું?’ આ આખો મામલો સિસ્ટમની નિષ્ફળતાને પણ ઉજાગર કરે છે કે, વર્ષોથી, એક વ્યક્તિના નામે નકલી કંપનીઓ બનાવવામાં આવી છે અને લેવડ-દેવડ કરવામાં આવી છે, અને બેંકોથી લઈને સરકારી એજન્સીઓ સુધી કોઈને પણ આ વાતની જાણ થતી નથી.

error: Content is protected !!