
છેલ્લા કેટલાક વર્ષોમાં ગૌતમઅદાણી ગ્રુપ ઝડપથી આગળ વધી રહ્યું છે. તેની પેટાકંપની, અદાણી એરપોર્ટ્સ, હવે ભારતની સૌથી મોટી એરપોર્ટ ઓપરેટર છે. એરપોર્ટની સંખ્યાની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું ઓપરેટર બની ગયું છે. અદાણી ગ્રુપ એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રૂ. 99,200 કરોડ નું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યું છે. અદાણી પાસે અત્યારે 8 એરપોર્ટ છે અને સરકાર આ વર્ષે 11 એરપોર્ટ લીઝ પર આપવાની છે તેની બીડ અદાણી ભરવાનું છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે બીજા 11 એરપોર્ટસનું સંચાલન પણ અદાણી પાસે આવી શકે છે.

અદામી પાસે અમદાવાદ, લખનૌ, મેંગલુરુ, જયપુર, ગૌહાટી, તિરુવંતપુરમ, મુંબઇનું છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિલન અને હવે 25 ડિસેમ્બરે નવી મુંબઇનું ગ્રીન ફીલ્ડ એરપોર્ટ અદાણી ખુલ્લું મુકવા જઇ રહ્યું છે.
